Well being Ideas: ડાયાબિટીસ અને ફેટી લિવર દર્દી આ 5 સફેદ વસ્તુનું સેવન ટાળે, ડોક્ટરે પાસેથી જાણો ડાયટ ચાર્ટ

Well being Ideas: ડાયાબિટીસ અને ફેટી લિવર દર્દી આ 5 સફેદ વસ્તુનું સેવન ટાળે, ડોક્ટરે પાસેથી જાણો ડાયટ ચાર્ટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Fatty Liver And Diabetes Food regimen Chart: ફેટી લિવર આજના સમયની સૌથી સામાન્ય લિવરની સમસ્યાઓમાંની એક છે. પહેલા તેને સ્થૂળતા અને આલ્કોહોલના સેવન સાથે જોડાયેલી તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે તે પાતળા લોકો, દારૂનું સેવન ન કરનાર વ્યક્તિઓ અને બાળકોમાં પણ જોવા મળે છે. ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, ફેટી લિવરને હળવાશથી લેવું જોખમી હોઈ શકે છે કારણ કે જો સમયસર સારવાર ન કરવામાં આવે તો, તે હિપેટાઇટિસ, ફાઇબ્રોસિસ અને સિરોસિસ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં ફેરવાઈ શકે છે.

મોરેંગો એશિયા હોસ્પિટલના ગેસ્ટ્રોએંટેરોલોજી વિભાગના વડા અને સિનિયર કન્સલ્ટન્ટ ડો.અમિત મિત્તલે જણાવ્યું હતું કે જ્યારે ફેટી લિવર હોય ત્યારે વજન વધે છે, પરંતુ જો ડાયાબિટીઝ, કોલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, થાઇરોઇડ અથવા અન્ય કોઈ મેટાબોલિક સમસ્યા હોય તો દર્દીનું વજન ઝડપથી ઘટી શકે છે. નિષ્ણાતે કહ્યું કે જો ફેટી લિવર રોગ હિપેટાઇટિસ અથવા સિરોસિસના તબક્કામાં પહોંચે છે, તો દર્દીને ભૂખ ન લાગવી, નબળાઇ, સ્નાયુઓની નબળાઈ અને પોષણની અછત જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કિસ્સામાં, વજન ઘટવાનું શરૂ થાય છે.

જો ફેટી લીવર હોય અને વજન ઝડપથી ઘટી રહ્યું હોય તો ડોક્ટરના મતે તેના માટે માત્ર ફેટી લીવર જ જવાબદાર ગણી શકાય નહીં. આવી સ્થિતિમાં, ડાયાબિટીસ, થાઇરોઇડ, ચેપ અથવા અન્ય કોઈ બીમારી માટે મેડિકલ ટેસ્ટ કરાવવું જરૂરી બની જાય છે. નિષ્ણાતો માને છે કે સમયસર તપાસ, તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત ફેટી લિવરને ઘણી હદ સુધી અટકાવી શકે છે અને રિવર્સ કરી શકે છે.

ફેટી લિવરના મુખ્ય કારણો

લિવર પર પર ચરબી જમા થવા માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે સ્થૂળતા, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, નબળો આહાર, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, વધારે આલ્કોહોલનું સેવન, પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન, હવામાં ઝેરી તત્વો વગેરે હોઇ શકે છે.

ફેટી લિવરના પ્રારંભિક લક્ષણો શું છે?

ઘણા દર્દીઓમાં, ફેટી લિવરમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી અને અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન આ બીમારી શોધી કાઢવામાં આવે છે. જો કે, કેટલાક લોકોમાં, આવા લક્ષણો દેખાઈ શકે છે, જેમ કે

  • પેટની જમણી તરફના ઉપરના ભાગમાં ભારેપણું
  • હળવો પરંતુ સતત દુખાવો
  • ઊંડો શ્વાસ લેતી વખતે અગવડ
  • નબળાઈ અને થાક
  • વજન વધવું
  • શરીરમાં આળસ અને નબળાઇનો અનુભવ 

ડાયાબિટીસ દર્દીમાં ફેટી લિવરના લક્ષણો

ડાયાબિટીઝ અને ફેટી લિવરની સમસ્યાઓ બંને એકબીજા સાથે જોડાયેલી છે. ડાયાબિટીઝના દર્દીઓમાં ફેટી લિવર વધુને વધુ તીવ્ર બની શકે છે. આવા દર્દીઓ સામાન્ય ફેટી લિવર જેવા જ લક્ષણો દર્શાવે છે, જેમ કે જમણી બાજુએ પેટમાં ભારેપણું, થાક, નબળાઇ, હળવો દુખાવો અને શરીરનું વજન વધવાથી મુશ્કેલી વધી શકે છે.

ફેટી લિવરના ગંભીર તબક્કે શું થાય છે?

ડોક્ટરના જણાવ્યા અનુસાર, ફેટી લીવરની પ્રગતિ ત્રણ તબક્કામાં થાય છે, જેમ કે પ્રથમ ફેટી લીવર, જેમાં લિવરમાં ચરબી એકઠી થવા લાગે છે, જેમાં હળવો દુખાવો અને ભારેપણું થઈ શકે છે.

હિપેટાઇટિસની બિમારીમાં લિવરમાં સોજો આવે છે અને કમળાના લક્ષણ દેખાવાના શરૂ થાય છે.

જો ફેટી લીવરને નિયંત્રિત કરવામાં ન આવે તો તે સિરોસિસ સુધી પહોંચે છે. તેમા પેટમાં પાણી ભરાવવું, પગમાં સોજો, લોહીની ઉલટી, લિવરની કામગીરીમાં ખરાબી થઇ શકે છે.

ફેટી લિવર ઓળખવા માટે કયા  ટેસ્ટ કરાવવા જોઇએ?

  • ફેટી લિવરની પ્રારંભિક તપાસમાં
  • અલ્ટ્રાસાઉન્ડ એબડોમેન
  • લીવર ફંક્શન ટેસ્ટ (એલએફટી)
  • વધુ તપાસ માટે ફાઇબ્રોસ્કેન ઓફ લિવર

ડોક્ટરના જણાવ્યા અનુસાર, 40 વર્ષની ઉંમર પછી, અલ્ટ્રાસાઉન્ડ અને લિવર ફંક્શન ટેસ્ટ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કરાવવું આવશ્યક છે.

ચરબીયુક્ત યકૃતના દર્દીઓ માટે આહાર ચાર્ટ

સમય     શું ખાવું
સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી, ગ્રીન ટી અથવા બ્લેક કોફી
સવારનો નાસ્તો પૌઆ, દલિયા, બેસન ચીલા, દાળ ચીલા, ફળ
નાસ્તા બાદ સફરજન, પપૈયા, નારંગી, મોસમી બદામ, અખરોટ
બપોરનું ભોજન 1-2 મલ્ટિગ્રેન રોટલી, દાળ, લીલા શાકભાજી, સલાડ
સાંજનો નાસ્તો ગ્રીન ટી, શેકેલા ચણા, ફણગાવેલા કઠોળ, ફળો
રાતનું ભોજન 1-2 રોટલી, દાળ, શાક, નાસ્તોસલાડ અને દહીં

ફેટી લિવર હોય તો કયા ફળો ઓછા ખાવા જોઈએ?

જો તમને ફેટી લિવર છે, તો પછી બધું વિચારીને ખાઓ. ફળો અને શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, પરંતુ તમારે કેટલાક ફળોનું સેવન મર્યાદિત કરવું જોઈએ. કેરી, કેળા, દ્રાક્ષ, લીચી અને ચીકુનું સેવન ખૂબ ઓછું કરો.

 ફેટી લિવર હોય તો ક્યા ફળો ખાવા જોઇએ?

સફરજન, પપૈયા, નારંગી, જામફળ અને નાશપતી ખાઓ. તે ડાયાબિટીઝને નિયંત્રિત કરે છે અને ફેટી લિવર રિવર્સ કરવામાં પણ મદદ કરે છે.

સફેદ રંગની આ 5 વસ્તુનું સેવન ટાળો

ડોક્ટરના જણાવ્યા અનુસાર, ફેટી લિવરના દર્દીઓએ આ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. મેંદો, રિફાઇન્ડ લોટ, ખાંડ, વધુ પડતું મીઠું અને ઘી જેવા આ પાંચ ખોરાકના વધુ પડતા સેવનને નિયંત્રિત કરો. દહીં અને પનીર સફેદ હોય છે પરંતુ તેને ટાળવાની જરૂર નથી કારણ કે તે પ્રોટીનના સારા સ્રોત છે.

ફેટી લિવરમાં સૌથી વધુ નુકસાન પહોંચાડતા ખોરાક

ઠંડા પીણાં, પેકેજ્ડ જ્યુસ, પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, કેક અને બિસ્કિટ, વધારે ખાંડવાળા પીણાં અને આલ્કોહોલનું સેવન ટાળો.

શું ફેટી લીવર સંપૂર્ણપણે મટાડી શકાય છે?

નિષ્ણાતો કહે છે કે પ્રારંભિક અને મધ્યમ ફેટી લિવરને સંપૂર્ણપણે ઉલટાવી શકાય છે. આ માટે શરીરનું વજન 10-15 ટકા ઓછું કરવું જરૂરી છે. આલ્કોહોલથી સંપૂર્ણપણે દૂર રહો. દરરોજ 45 મિનિટ સુધી ઝડપી ચાલવું.
સંતુલિત અને ઉચ્ચ પ્રોટીનયુક્ત આહાર લો અને નિયમિત તપાસ કરાવો.

આયુર્વેદિક ઉપચારો પણ મદદ કરી શકે છે?

ફેટી લિવરના દર્દીઓ પીસેલા આમળા, એલોવેરા અને લેમન ગ્રાસ જેવા ઉપાય અપનાવી શકે છે. જો કે, ડોકટરો ચેતવણી આપે છે કે કોઈપણ હર્બલ પ્રોડક્ટનો વધુ પડતો વપરાશ હાનિકારક હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, એલોવેરા અને અન્ય હર્બલ ઉત્પાદનોથી લિવરે નુકસાન થયું હોવાના અહેવાલો પણ આવ્યા છે. તેથી, કોઈપણ આયુર્વેદિક અથવા હર્બલ ઉપાય શરૂ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો | બ્લડ પ્રેશર જમણા કે ડાબા ક્યા હાથે માપવું જોઇએ? ડોક્ટર પાસેથી BP ચેક કરવાની સાચી રીત જાણો

Disclaimer : આ લેખ ફક્ત સામાન્ય માહિતી અને જાગૃતિ હેતુઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ લેખમાં ડાયટ ચાર્ટ, ફળો અને આયુર્વેદિક ઉપચારો મારેંગો એશિયા હોસ્પિટલના ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ ડો.અમિત મિત્તલ દ્વારા શેર કરાયેલી માહિતી પર આધારિત છે. ડાયાબિટીસ અને ફેટી લિવરની તીવ્રતા (ખાસ કરીને ગ્રેડ 3) દરેક વ્યક્તિના શારીરિક પરિમાણો અનુસાર બદલાઈ શકે છે, તેથી તમારી દિનચર્યામાં, આહારમાં ફેરફારો, ફળો અથવા હર્બલ / આયુર્વેદિક પ્રોડક્ટ (જેમ કે એલોવેરા અથવા ગ્રાઉન્ડ આમલા)નો વપરાશ કરવાની પહેલા ડોક્ટર પાસેથી સલાહ લેવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *