જમ્પા પછી તરત પાણી પીવું કે નહીં? ગેસ્ટ્રોલોજિસ્ટ પાસેથી જાણો ખોરાક અને પાણી પીવાનો સાચો નિયમ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Consuming Water After Meals Good or Unhealthy : ઘણી વાર આપણે ભારતીય લોકોને ખાધા પછી તરત જ એક થી બે ગ્લાસ પાણી પીવાની આદત હોય છે. જ્યાં સુધી પેટ ભરાય નહીં ત્યાં સુધી પાણીનો ગ્લાસ અટકતો નથી. તમે જાણો છો કે ખોરાક ખાધા પછી તરત જ ઠંડુ અથવા પુષ્કળ પાણી પીવાથી તમારી પાચન ક્રિયા પર માઠી અસર થઈ શકે છે. 

એલોપેથી અને આયુર્વેદ અનુસાર, ભોજન પછી તરત જ પાણી પીવાથી પાચક ઉત્સેચકો મંદ થાય છે, જે ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. જો કે, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને ડાયાબિટીઝ, થાઇરોઇડ અથવા બીપીના દર્દીઓ માટે આ નિયમ અલગ હોઈ શકે છે.

નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો.અનિલ અરોરાએ જણાવ્યું હતું કે, જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીવા વિશે લોકોમાં વિવિધ ધારણાઓ પ્રવર્તે છે. કેટલાક લોકો માને છે કે ભોજન સાથે પાણી પીવાથી પાચન બગડે છે, જ્યારે કેટલાક લોકો ખાતી વખતે પૂરતું પાણી પીવે છે. હાલમાં, કોઈ સ્પષ્ટ વૈજ્ઞાનિક પુરાવા નથી જે સાબિત કરે છે કે દરેક વ્યક્તિએ ખાધા પછી ચોક્કસ સમય માટે પાણી પીવું જોઈએ નહીં.

આયુર્વેદ અનુસાર જમ્યા પછી પાણી પીવાથી પાચન પર કેવી અસર થાય છે?

આયુર્વેદ અનુસાર, ખોરાક અને પાણી પીવાનો સમય શરીર પર અસર કરી શકે છે. આયુર્વેદમાં, જમતા પહેલા તરત જ પાણી પીવાથી પાચનતંત્રની અગ્નિ મંદ પડે છે, ભૂખ ઓછી થાય છે અને પાચન ક્રિયાને અસર થાય છે. તો ભોજન પછી તરત જ વધુ પાણી પીવાથી કફ દોષ અને મેદસ્વીતા વધી શકે છે અને શરીરમાં ચરબી જમા થવાનું જોખમ વધી શકે છે. આયુર્વેદમાં જરૂર મુજબ ભોજનની વચ્ચે થોડું પાણી પીવું વધુ સારું છે.

શું ખોરાક સાથે પાણી પીવાથી પાચક રસ પાતળા થાય છે?

ડો. અનિલ અરોરાના જણાવ્યા અનુસાર, ખાતી વખતે પેટમાં ખોરાક પચાવવા માટે પાચક રસ અને એસિડ બને છે. એક સાથે વધુ પાણી પીવાથી પેટમાં હાજર ખોરાક અને પ્રવાહીની માત્રા વધે છે અને પાચક રસને કંઈક અંશે પાતળું કરી શકે છે. જો કે, તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી કે સામાન્ય માત્રામાં પાણી પીવાથી પાચનશક્તિ નબળી પડે છે અથવા પાચક રસની અસર ઓછી કરે છે. તેથી, ખોરાક સાથે જરૂરિયાત મુજબ પાણી પીવું ઠીક છે, પરંતુ એક સાથે વધુ પાણી પીવાનું ટાળવું વધુ સારું છે.

પેટમાં ખોરાક કેવી રીતે પચે છે?

પેટનું એક મહત્વપૂર્ણ કાર્ય એ છે કે ખોરાકને પાચન કરવું અને તેને નાના કણોમાં ફેરવવું. પેટમાં હાજર એસિડ અને પાચક રસ આ પ્રક્રિયામાં મદદ કરે છે. ત્યારબાદ ખોરાક ધીમે ધીમે નાના આંતરડા સુધી પહોંચે છે, જ્યાં પાચન અને પોષક તત્વોનું શોષણ મુખ્યત્વે થાય છે. એક સાથે વધુ પાણી પીવાથી પેટ ફુલવા લાગે છે. આનાથી કેટલાક લોકોને પેટ ભારે કે ફુલેલું લાગે છે. જમ્યા પછી પેટ પહેલાથી જ ખોરાકથી ભરેલું હોય છે, આવી સ્થિતિમાં, બે કે ત્રણ ગ્લાસ અથવા પાણીની એક આખી બોટલ એક સાથે પીવાથી અગવડતા અને પેટનું ફૂલવું થઈ શકે છે.

શું જમ્યા પછી તરત જ પાણી પીવું ખોટું છે?

જમ્યા પછી તરત જ પાણી પીવા માટે 30 મિનિટ, એક કલાક કે બે કલાકનો નિશ્ચિત અંતર રાખવાની સલાહ પાછળ કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા નથી. તંદુરસ્ત વ્યક્તિને તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ. જો ખોરાક બહુ શુષ્ક છે અથવા તમને ગળવામાં મુશ્કેલી આવી રહી છે, તો ભોજન દરમિયાન પાણી પીવું જરૂરી હોઈ શકે છે.

પેટનું ફૂલવાની સમસ્યામાં કેટલું પાણી પીવું?

પેટનું ફૂલવું માત્ર પાણી પીવાથી થતું નથી. કેટલાક ખોરાક જેમ કે ચણા, રાજમા, વધુ પડતું ખાવું, ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક અને આંતરડામાં ખોરાકનું ફર્મેશન પણ ગેસ અને પેટનું ફૂલવાનું કારણ બની શકે છે. ચણા, મગ અને રાજમા જેવા કઠોળમાં હાજર કેટલાક કાર્બોહાઇડ્રેટ્સ આંતરડામાં બેક્ટેરિયા ફર્મેટ કરીને ગેસ ઉત્પન્ન કરી શકે છે. વધુ પડતો તેલવાળો ખોરાક પેટની ખાલી કરવાની પ્રક્રિયાને ધીમું કરી શકે છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું લાગે છે.

એસિડિટી અને એસિડ રિફ્લક્સવાળા લોકોએ શું કાળજી રાખવી?

એસિડિટી અથવા એસિડ રિફ્લક્સથી પીડાતા લોકોમાં, વધુ પડતો ખોરાક અને તેલ વાળો ખોરાક લક્ષણોને વધારી શકે છે. આવા લોકો માટે એક સાથે વધારે પાણી પીવાને બદલે જરૂરિયાત મુજબ થોડી માત્રામાં પાણી પીવું વધુ ફાયદાકારક હોઈ શકે છે. જો પાણી કે જમ્યા બાદ વારંવાર છાતીમાં બળતરા, ખાટા ઓડકાર આવે અથવા ખોરાક ઉપરની તરફ આવે છે, તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

શું વધુ પાણી પીવાથી કિડની પર અસર થાય છે?

શરીર પેશાબ દ્વારા વધારાનું પાણી બહાર કાઢે છે અને કિડની પાણી અને સોડિયમનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ “તમે જેટલું વધુ પાણી પીશો, તમારી કિડની તંદુરસ્ત છે” એ માન્યતા સાચી નથી. વધુ પડતું પાણી પીવું પણ હાનિકારક હોઈ શકે છે અને કેટલાક સંજોગોમાં લોહીમાં સોડિયમનું સ્તર ઘટાડી શકે છે.

પાણી ક્યારે અને કેટલું પીવું જોઈએ?

પાણીની જરૂરિયાતો દરેક માટે સમાન નથી હોતી. પાણીની જરૂરિયાત ઋતુ, શારીરિક પ્રવૃત્તિ, આહાર અને આરોગ્યની સ્થિતિ અનુસાર બદલાય છે. તેથી, દરેક વ્યક્તિએ દરરોજ 3-4 લિટર પાણી પીવું ચોક્કસપણે જરૂરી નથી. તરસ એ શરીરનો એક મહત્વપૂર્ણ સંકેત છે, પરંતુ વધુ પડતો પરસેવો થવો, ગરમી, કસરત અથવા માંદગી જેવી પરિસ્થિતિઓ પ્રવાહીની જરૂરિયાતમાં વધારો કરી શકે છે. 

ડોક્ટર જણાવે છે કે, વ્યક્તિએ એક સાથે વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ અને શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ. જો તમને જમતી વખતે તરસ લાગે છે અથવા ખોરાક સોકો હોય તો ગળવામાં મુશ્કેલી પડે છે, તો પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો | ઈસબગુલ પેટ માટે અમૃત સમાન, કબજિયાત અને ઝાડા મટાડવા શેની સાથે સેવન કરવું? નિષ્ણાંત પાસેથી જાણો

Disclaimer : ભોજન સાથે અથવા પછી પાણી પીવાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ હોઈ શકે છે. સામાન્ય માત્રામાં પાણી પીવું સલામત માનવામાં આવે છે, પરંતુ એક સાથે વધુ પાણી પીવાથી અગવડતા થઈ શકે છે. આ માહિતી સામાન્ય આરોગ્ય જાગૃતિ માટે છે, તેને ડોક્ટરની સલાહનો વિકલ્પ ન ગણો. કોઈ રોગ અથવા કોઈ ચોક્કસ શારીરિક બીમારીના કિસ્સામાં તમારે કેટલું પાણી પીવું જોઈએ તે વિશે તમારા ડોક્ટરની સલાહ લેવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *