આ 5 ફૂડને ફરીથી ગરમ કરી ના ખાવ, સ્વાસ્થ્યને થશે નુકસાન, એક્સપર્ટ પાસેથી જાણો

આ 5 ફૂડને ફરીથી ગરમ કરી ના ખાવ, સ્વાસ્થ્યને થશે નુકસાન, એક્સપર્ટ પાસેથી જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


સામાન્ય રીતે જ્યારે ખાવાનું બચે ત્યારે લોકો તેને ફેંકવાના બદલે ફરીથી ગરમ કરીને ખાઈ જાય છે. આ આદત સ્વાદ તો બગાડે જ છે સાથે જ સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેટલાક ખોરાક એવા છે જેને ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં એવા કંપાઉન્ડ્સ બને છે જે ફૂડ પોઇઝનિંગ, પેટમાં ગરબડ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધારી શકે છે. 

ગાઝિયાબાદની મણિપાલ હોસ્પિટલના ન્યૂટ્રિશન એન્ડ ડાયેટિક્સના હેડ ડો.અદિતિ શર્માએ જણાવ્યું હતું કે કે કયા ફુડ્સને ગરમ કરીને ના ખાવા જોઈએ અને જો તમે તેમ ન કરો તો સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે.

પાલક

પાલકને ફરીથી ગરમ કરીને ખાવા જોઈએ નહીં. પાલકમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે પાલકને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે નાઇટ્રેટ નાઇટ્રાઇટમાં ફેરવાય છે, જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે. નાઇટ્રાઇટ શરીરમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. પાલક હંમેશા તાજા બનાવીને જ ખાવા જોઈએ.

મશરુમ

જો ફ્રેશ મશરૂમનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મશરૂમને ફરીથી ગરમ કરીને ના ખાવી જોઈએ, કારણ કે મશરૂમ પ્રોટીન અને મિનરલ્સનો ઉત્તમ સ્રોત છે, પરંતુ જ્યારે તેને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના પોષક તત્વો તૂટી જાય છે અને શરીર માટે હાનિકારક બની શકે છે. જો મશરૂમને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે અને પછી તેને ફરીથી ગરમ કરવામાં આવે તો તેનાથી પાચનની સમસ્યા અને એલર્જીક રિએક્શન આવી શકે છે.

ચોખા 

રાંધેલા ચોખાને ફરીથી ગરમ ના કરવા જોઈએ, કારણ કે જો ચોખાને ફરીથી ગરમ કરવામાં આવે તો તે બેસિલસ સેરસ નામના બેક્ટેરિયાને પનપી શકે છે. આ બેક્ટેરિયા ચોખાને ગરમ કર્યા પછી પણ ટકી શકે છે અને પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

ઈંડા

ઇંડાને પણ વારંવાર ગરમ ન કરવા જોઈએ. ઈંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે બાફેલા કે તળેલા ઈંડાને ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા પ્રોટીનની સંરચના બદલાઈ જાય છે અને તે ટોક્સિન્સમાં ફેરવાઈ શકે છે. ફરી ગરમ કરેલા ઈંડા ખાવાથી પેટમાં ગેસ, એસિડિટી અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા થઈ શકે છે.

બટાકા

બટાકાને વારંવાર ગરમ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. બટાકાને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલ સ્ટાર્ચ ખરાબ થઈ શકે છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. બટાટાને ફરીથી ગરમ કરીને ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. આ સિવાય પેટ સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *