વાયરલ ભીંડી બ્યુટી હેક શું છે? તે ખરેખર ગ્લોઈંગ સ્કિન સિક્રેટ છે? જાણો

વાયરલ ભીંડી બ્યુટી હેક શું છે? તે ખરેખર ગ્લોઈંગ સ્કિન સિક્રેટ છે? જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | Magnificence suggestions | સોશિયલ મીડિયા પર બ્યુટી કેરની દુનિયામાં, દરરોજ નવા પ્રયોગો વાયરલ થાય છે. આપણામાંથી ઘણા લોકો ‘કુદરતી’ લેબલ સાથે આવતી ઘણી તકનીકોમાં આંધળો વિશ્વાસ કરે છે. આવું જ એક ઉદાહરણ ભીંડા ફેસ પેક છે જે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ટ્રેન્ડ બની ગયું છે.

ઇન્સ્ટાગ્રામના વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભીંડા અને દહીંના આ મિશ્રણનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા માત્ર વીસ મિનિટમાં દસ વર્ષ જેટલી યુવાન દેખાશે અને તેને ગોરી બનાવશે. આવી પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરોટીનોઇડ્સ અને વિટામિન સીથી ભરપૂર ભીંડા કરચલીઓ ઘટાડી શકે છે અને ખીલ સામે લડી શકે છે.

ભીંડી ફેસપેક 

સામગ્રી 
3 ભીંડા સમારેલા 
2 ચમચી દહીં

ભીંડી ફેસપેક બનાવાની રીત 

સૌ પ્રથમ બંને ઘટકોને એકસાથે મિક્સ કરો અને સારી રીતે ફેંટો. તમે આને તમારા ચહેરા પર લગાવી શકો છો. તેને 20 મિનિટ અથવા સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. 

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પેસ્ટનો ઉપયોગ દર બે અઠવાડિયામાં એકવાર કરી શકાય છે. પોસ્ટમાં જણાવાયું છે કે આ પેસ્ટ વૃદ્ધત્વ, ખીલના સંકેતોને રોકવામાં અને ત્વચાને ગોરી કરવામાં મદદ કરે છે. 

ધ એસ્થેટિક ક્લિનિકના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ ડૉ. રિંકી કપૂર કહે છે કે, રાત્રિભોજનના ટેબલ પર કેટલીક શાકભાજી આકર્ષક લાગે છે, પરંતુ તેમની ત્વચા પર બહુ અસર થતી નથી. 

ડૉ. કપૂરે કહ્યું કે “ઓનલાઇન જોવા મળતી બધી હેક્સ અસરકારક હોતી નથી. આવા દાવા ઘણીવાર વૈજ્ઞાનિક સંશોધન વિના કરવામાં આવે છે. ઘણા ઘરગથ્થુ ઉપચારમાં દહીંનો ઉપયોગ મૂળભૂત ઘટક તરીકે થાય છે. આનું કારણ એ છે કે દહીં લેક્ટિક એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે એક્સફોલિએટિંગ એજન્ટ તરીકે કાર્ય કરી શકે છે. જોકે, ભીંડા સાથે ભેળવવામાં આવે ત્યારે તે હાનિકારક બની શકે છે.”

ડૉ. કપૂર ચેતવણી આપે છે કે “ભીંડામાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે કાચું લગાવવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે… તૈલી, ખીલ-પ્રભાવિત અથવા સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ ભીંડા અને દહીંનું મિશ્રણ લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તે તેમની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તે ત્વચા પર ફોલ્લીઓ અને ત્વચાની સંવેદનશીલતા વધારી શકે છે.”

સ્કિન કેર શું ધ્યાન રાખવું?

ત્વચા સંભાળની એવી પદ્ધતિ શરૂ કરવાનું વિચારો જેમાં નિયાસીનામાઇડ, કોજિક એસિડ, એઝેલેઇક એસિડ, ગ્લાયકોલિક એસિડ અને વિટામિન સી જેવા ત્વચાને ચમકાવતા સક્રિય ઘટકો હોય. 
સંતુલિત આહાર લો. 
પુષ્કળ પાણી પીઓ. 
સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરો 
45 મિનિટથી વધુ સમય માટે કસરત કરો

ડૉ. કપૂર એવું પણ સૂચન કરે છે કે જેઓ તેમની ત્વચામાં મોટા ફેરફારો ઇચ્છે છે તેઓએ ફક્ત ઘરેલું ઉપચાર પર આધાર રાખવાને બદલે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *