UPSC CSE 2025 Outcomes: રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ

UPSC CSE 2025 Outcomes: રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ શુક્રવારે (6 માર્ચ, 2026) સિવિલ સર્વિસ પરીક્ષા 2025 ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. પરિણામોની સાથે કમિશને ટોપર્સની પણ જાહેરાત કરી છે. રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે તમિલનાડુની રાજેશ્વરી સુવે એમ. એ બીજું સ્થાન મેળવ્યું. ટોપર્સની યાદીમાં છોકરીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ટોપ 25 રેન્ક ધારકોમાં અગિયાર છોકરીઓનો સમાવેશ થાય છે. ત્યાં જ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં ગુજરાતના કુલ 34 જેટલા તેજસ્વી દીકરા-દીકરીઓ ઉત્તીર્ણ થયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં ઉત્તીર્ણ થયેલ ગુજરાતના કુલ 34 જેટલા તેજસ્વી દીકરા-દીકરીઓને શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “આપણા રાજ્ય માટે અત્યંત ગૌરવની વાત છે. સફળતા મેળવનાર સૌ ઉમેદવારોને હાર્દિક અભિનંદન સહ ઉજ્જ્વળ ભવિષ્યની હાર્દિક શુભકામના”.

ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ  UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં ઉત્તીર્ણ થયેલ ગુજરાતના કુલ 34 જેટલા તેજસ્વી દીકરા-દીકરીઓને શુભકામના પાઠવી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલથી ટ્વીટ કર્યું છે જેમાં તેમણે લખ્યું,”ગુજરાતના 34 યુવાનો UPSC પાસ કર્યા ટીમ ગુજરાત માટે એક ગર્વની ક્ષણ. એક સમય હતો જ્યારે ગુજરાતના ખૂબ જ ઓછા યુવાનો દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા UPSC સિવિલ સર્વિસીસનો પ્રયાસ કરતા હતા. પરંતુ એક દૂરંદેશી પ્રયાસે આ વાર્તા બદલી નાખી. આ વર્ષે, SPIPA માં તાલીમ પામેલા ગુજરાતના 34 તેજસ્વી યુવાનોએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે”.

વધુમાં હર્ષ સંઘવીએ લખ્યું,” છેલ્લા ત્રણ વર્ષમાં જ, 68 SPIPA-પ્રશિક્ષિત ઉમેદવારોએ આ નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ખચકાટથી લઈને મહત્વાકાંક્ષા સુધી, ગુજરાતના યુવાનો આજે IAS, IPS અને અન્ય સિવિલ સેવકો તરીકે રાષ્ટ્રની સેવા કરવા માટે આત્મવિશ્વાસથી તૈયારી કરી રહ્યા છે. દરેક જિલ્લામાંથી હજારો ઉમેદવારો હવે આ સ્વપ્ન તરફ કામ કરી રહ્યા છે. SPIPA મોડેલ એક તેજસ્વી ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે કે કેવી રીતે યોગ્ય દ્રષ્ટિ, માર્ગદર્શન અને સંસ્થાકીય સમર્થન યુવા મનને રાષ્ટ્ર નિર્માણ અને સુશાસનમાં યોગદાન આપવા માટે સશક્ત બનાવી શકે છે. બધા સફળ ઉમેદવારો અને તેમના પરિવારોને અભિનંદન. તમારું સમર્પણ ગુજરાતને ગૌરવ અપાવે છે અને ભારતના ભવિષ્યને મજબૂત બનાવે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *