Jantar Mantar Protest Updates : સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે મોદી સરકારને ચિઠ્ઠી લખી છે. તેમણે કહ્યું છે કે જો તેમને વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપવામાં આવે તો તેઓ ઉપવાસ સમાપ્ત કરવા તૈયાર છે. સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહના નામે ચિઠ્ઠી લખી છે. સોનમ વાંગચુકે કહ્યું કે ગઈકાલે રાત્રે મને હોસ્પિટલમાં મળવા અને ઉપવાસ સમાપ્ત કરવાની સાચી અપીલ બદલ આભાર. વાતચીત દરમિયાન તમે મને ખાતરી આપી હતી કે સરકાર આ બાબતો પર સકારાત્મક વિચાર કરશે.
કોઈ પણ વિદ્યાર્થી વિરુદ્ધ કાર્યવાહી ના થાય : સોનમ વાંગચુક
સોનમ વાંગચુકે કહ્યું કે 20 જુલાઈ 2026 ના રોજ ચલો સંસદ માર્ચ પોલીસના અત્યાચાર અને કારણ વગર બળ પ્રયોગ છતાં ખૂબ જ શાંતિપૂર્ણ હતી. સમગ્ર દેશ અને વિશ્વએ તેમની ધીરજ અને ડેમોક્રેટિક વિરોધ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા જોઈ. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે લોકશાહી સંસ્થાઓ પરનો આ વિશ્વાસ સામેલ લોકો સામે કોઈ કાનૂની કેસ, હેરસમેન્ટ અથવા બદલો લેવાની કાર્યવાહીથી ઓછો થશે નહીં. તેમણે કહ્યું કે પરીક્ષાના પેપર લીક થયા બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને યોગ્ય વળતર મળે. શિક્ષણમંત્રીના રાજીનામાની વિચારણા સહિત જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સંસદમાં યોગ્ય ચર્ચા થાય.
સોનમ વાંગચુકે વધુમાં કહ્યું કે તમારા આવ્યા પછી અલગ-અલગ રાજકીય પક્ષોના લગભગ 65 સાંસદોએ મને પત્ર લખ્યો છે, કેટલાક પહેલા આવી ચૂક્યા છે અને કેટલાક આજે સાંજ સુધીમાં આવવાની સંભાવના છે. તે બધાએ મને મારા ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી છે અને મને યાદ અપાવ્યું છે કે મારે હજુ આપણા દેશની સેવામાં ઘણું કામ કરવાનું છે. હું તેમની સાથે સહમત છું. મારે જીવવું છે. હું મારા વિદ્યાર્થીઓ પાસે, મારા અભ્યાસમાં અને તે કામ પર પરત ફરવા માંગું છું જેણે મારી જીંદગી નક્કી કરી છે. પરંતુ હું તે યુવાનોની કિંમત પર ના કરી શકું જેના માટે આ આંદોલન શરૂ થયું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું – 10 વર્ષમાં 152 પેપર લીક, આજ સુધી એકપણ દોષિત નહીં, ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની માંગણી વ્યાજબી
સોનમ વાંગચુકે કહ્યું કે તેથી હું સરકાર પાસેથી સંપૂર્ણ આદર સાથે એ વિશ્વાસ માંગુ છું કે આ આંદોલનમાં ભાગ લેનારા કોઈ પણ યુવા પ્રદર્શનકારીઓ સામે કોઈ સજા અથવા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમનો એકમાત્ર ગુનો એ હતો કે તેમણે યોગ્ય અને જવાબદાર શિક્ષણ પ્રણાલી માટે અવાજ ઉઠાવ્યો હતો.
સરકાર તરફથી આશ્વાસન મળશે તો હું મારી ભૂખ હડતાળ સમાપ્ત કરીશ: વાંગચુક
સોનમ વાંગચુકે કહ્યું કે જો આ પ્રકારનું આશ્વાસન આપવામાં આવે તો હું એ વિશ્વાસ સાથે ઉપવાસ સમાપ્ત કરીશ કે સરકારે માત્ર મારી અપીલ જ નહીં, પરંતુ લાખો યુવા ભારતીયોની આશાઓ પણ સાંભળી છે. આવા આત્મવિશ્વાસ વિના મને અનિશ્ચિત સમય માટે ઉપવાસ ચાલુ રાખવાની ફરજ પડશે. હું એ પણ આશા રાખું છું કે આંદોલનને દબાવવા માટે વધુ પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
