વશરામ સાગઠિયાએ શાળા નંબર 99નો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, વિપક્ષી નેતાએ રજૂઆત કરી કે શાળા નંબર 99 હજુ પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે, છેલ્લા 17 વર્ષથી આ શાળા ભાડાના માત્ર બે રૂમમાં ચાલે છે, જેથી વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આ શાળાનું નવીનીકરણ કરવું હાલ અત્યંત જરૂરી બન્યું છે. જેથી હું આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાઝાને વિનંતી કરું છું.

