જીવનશૈલી | રેસીપી | જો વરસાદી મોસમમાં તમને પંજાબી ઢાબા સ્ટાઇલ મસાલેદાર વાનગીઓ ખાવાની ઈચ્છા થાય તો અમૃતસરી પનીર ભુરજી જરૂરથી ટ્રાય કરજો. સામાન્ય પનીર ભુરજી કરતાં આ વાનગી સાવ અલગ અને ખાસ છે.
સરસવના તેલ અને દહીંમાં શેકેલા બેસન અને ખાસ મસાલાનું ગ્રેવી જેવું મિશ્રણ આ ભુરજીને એકદમ ક્રીમી, સોફ્ટ અને ધમાકેદાર ફ્લેવર આપે છે. ગરમાગરમ રોટલી, પરાઠા કે કુલચા સાથે આ વાનગી સ્વાદમાં એકદમ લાજવાબ લાગે છે, અહીં જાણો અમૃતસરી પનીર ભુરજી રેસીપી
અમૃતસરી પનીર ભુરજી રેસીપી
સામગ્રી
- 3 ચમચી બેસન (બેસન)
- 1 ચમચી ધાણાજીરું પાવડર
- 1/2 ચમચી હળદર પાવડર
- 1/2 ચમચી જીરું પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
- 1/2 ચમચી કિચન કિંગ મસાલા પાવડર
- 1 ચમચી પાવભાજી મસાલા પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- 1/2 કપ તાજું દહીં
- 2 ચમચી સરસવનું તેલ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 250 ગ્રામ પનીર
- 2 ચમચી માખણ
- 2 ચમચી તેલ
- 1/2 ચમચી જીરું
- 2 કાપેલી ડુંગળી
- 1 ચમચી સમારેલું લસણ
- 1 ઇંચ સમારેલું આદુ
- 2 કાપેલા ટામેટાં (હાઇબ્રિડ ટામેટાં)
- સ્વાદ મુજબ મીઠું
- 2 સમારેલા લીલા મરચાં
- 2ચમચી ધાણાજીરું
- લીંબુનો રસ
અમૃતસરી પનીર ભુરજી બનાવવાની રીત
એક બાઉલમાં તાજું દહીં લો. તેમાં શેકેલો બેસન, ધાણાજીરું પાવડર, હળદર પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, પાવભાજી મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
શું ખરેખર પંતા ભાત ખાવા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે? ડોક્ટરોએ આપી આશ્ચર્યજનક માહિતી!
હવે તેમાં તૈયાર કરેલું સરસવના તેલ અને મરચાંનું મિશ્રણ ઉમેરીને બધું જ બરાબર ફેંટી લો જેથી એક પણ ગાંઠ ન રહે અને સુંવાળી મસાલા પેસ્ટ તૈયાર થાય.
એક પેનમાં સરસવનું તેલ ગરમ કરો. આ ગરમ તેલમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી લો જેથી સરસ લાલ કલર આવે.
આ તેલ પેલા તૈયાર મસાલામાં ઉમેરો, ત્યારબાદ કડાઈમાં બટર અને તેલ ગરમ કરો. તેલ બટર ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીને તતડવા દો.
ત્યારબાદ તેમાં બારીક સમારેલું લસણ, બારીક સમારેલું આદુ અને સમારેલા લીલા મરચાં ઉમેરી 1 મિનિટ માટે સાંતળી લો.
હવે ૨ બારીક કાપેલી ડુંગળી ઉમેરો અને તે આછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
ત્યારબાદ 2 બારીક કાપેલા ટામેટાં અને થોડું મીઠું ઉમેરીને ટામેટાં એકદમ સોફ્ટ અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો.
ટામેટાં ચડી જાય એટલે ગેસની આંચ ધીમી કરી તેમાં અગાઉ તૈયાર કરેલી દહીં-બેસનની મસાલા પેસ્ટ ઉમેરી દો.
ધીમા તાપે સતત હલાવતા રહીને મસાલામાંથી તેલ-બટર છૂટું ન પડે ત્યાં સુધી 5 મિનિટ માટે પકવો.
મસાલો બરાબર શેકાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ થોડું ગરમ પાણી ઉમેરો જેથી ભુરજી સુકાઈ ન જાય અને ક્રીમી ટેક્સચર મળે.
હવે તેમાં મેશ કરેલું પનીર ઉમેરો. પનીરને મસાલા સાથે હળવા હાથે મિક્સ કરી 2 મિનિટ માટે જ કૂક કરો, છેલ્લે 2 ચમચી કોથમીર અને સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો, તૈયાર છે તમારું અમૃતસરી પનીર ભુરજી!
