Nepal floods 10 factors: નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂરે નેપાળના રાસુવા, નુવાકોટ અને ધાડિંગ જિલ્લાના કેટલાક ભાગોમાં વિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 162 લોકોનાં મોત થયા છે. પૂરના પાણી, કાદવ અને કાટમાળ સાથે, ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી છે.
નેપાળ પૂર વિશે 10 મુખ્ય પોઈન્ટ્સ
1. નેપાળ ટુરિઝમ બોર્ડ અનુસાર 384 લોકો હજુ પણ ગુમ છે, જેમાં ૨૯૧ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આમાંથી ૧૦૫ ભારતીય નાગરિકો છે, જ્યારે બાકીના નેપાળી છે.
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ સાથે ફોન પર વાત કરી અને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. ભારતે રાહત અને બચાવ સામગ્રી સાથે લશ્કરી વિમાન નેપાળ મોકલ્યું છે.
3. પૂર બાદ તિશુલી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા ઘણા ભારતીય નાગરિકો ગુમ છે. વિસ્તારમાં સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે ત્યાંના લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો છે.
4- નેપાળમાં આવેલા પૂરે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ચિંતા વધારી છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વહીવટીતંત્રને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો છે. નેપાળથી આવતી નદીઓમાં પાણી વધવાને કારણે ગંડક નદીના પાણીનું સ્તર વધવાની આશંકા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે.
5- નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે જણાવ્યું હતું કે ભૂકંપને કારણે બરફ અને ખડકોનો મોટો ભાગ સરકી ગયો હતો, જેના કારણે નદીનો માર્ગ અવરોધાઈ ગયો હતો અને અચાનક પૂર આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 8:37 વાગ્યે આવ્યો હતો.
6- બિહારના વાલ્મીકિનગરમાં ગંડક બેરેજના તમામ 36 દરવાજા સાવચેતીના પગલા તરીકે ખોલી નાખવામાં આવ્યા છે. રાજ્યના જળ સંસાધન વિભાગ અનુસાર નદી કિનારે આવેલા જિલ્લાઓમાં વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પૂરનો સામનો કરવા માટે જરૂરી રાહત સામગ્રીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
7- ચીનની રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર ભૂસ્ખલનથી શિગાત્સે ક્ષેત્રમાં રસ્તાઓ, સંદેશાવ્યવહાર અને વીજળી લાઇનોને નુકસાન થયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે.
8- નેપાળ સેનાએ રાહત અને બચાવ કામગીરી માટે બચાવ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. રાસુવા જિલ્લાના પર્વતીય પ્રદેશમાં સ્થિત સ્યાફ્રુબેસી અને તિમુરે જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉતરી શકતા નથી.
નેપાળ સેનાએ રોઇટર્સને જણાવ્યું હતું કે ભોટેકોશી નદીનું પાણીનું સ્તર ઓછું ન થાય ત્યાં સુધી હેલિકોપ્ટર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી શકશે નહીં.
9- ગયા વર્ષે, ભોટેકોશી નદીમાં પણ પૂર આવ્યું હતું, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. પૂરને કારણે રસ્તાઓ, પાવર પ્લાન્ટ અને અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.
10- ભોટેકોશી નદી તિબેટમાં ઉદ્ભવે છે. લગભગ 100 કિલોમીટર સુધી વહેતા, તે બીજી નદી, ત્રિશુલીમાં જોડાય છે. પછી નદી ભારતમાં પ્રવેશ કરે છે અને ગંડક નદી પ્રણાલીનો ભાગ બને છે.
