અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે આ પરિસ્થિતિ ફક્ત અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ પર વેચાણ બંધ કર્યું છે. જોકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP)ના કંપનીના પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે, તેમની પાસે હાલમાં ઓઈલનો સ્ટોક છે અને 24 કલાક પેટ્રોલ-ડીઝલ મળશે.

અમદાવાદના પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. કેટલાક વાહનચાલકો આવનારા સમયમાં પેટ્રોલના ભાવ વઘી જશે અથવા પેટ્રોલ નહીં મળે તેવા ડરથી લાઈનોમાં ઉભા રહી ગયા છે. કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ના હોવાના કારણે બંધ હોવાથી લોકોમાં ડર પ્રસર્યો છે. 

હાલમાં અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપો પર 1 કલાકે પેટ્રોલ ભરાવવાનો વારો આવે તેવી લાઇનો લાગી ગઈ છે. કેટલાક પેટ્રોલ પંપ બંધ તો કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. પેટ્રોલ પંપની બહાર અડધા કિલોમીટર સુધીની લાગી લાઈનો છે.

Crowd at Ahmedabad petrol pump
રામોલ પેટ્રોલ પંપ પર લોકોની ભીડ અને ગાડીઓની લાંબી કતારો લાગી. {Photograph}: (સોશિયલ મીડિયા)

લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ 

અમદાવાદમાં પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારો અને ઇંધણની અછતની અફવાઓ વચ્ચે સત્ય સામે આવ્યું છે. સપ્લાય ચેઈનમાં ટેકનિકલ વિલંબને કારણે કેટલીક જગ્યાએ અછત જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને ગભરાટમાં આવીને સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

લાલ કે નારંગી? જાણો સ્વાસ્થ્ય માટે કયા રંગના ગાજર છે સૌથી વધુ ફાયદાકારક

પાીએમ મોદીએ શું કહ્યું?

આજે લોકસભામાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ રૂટ દ્વારા મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ, ગેસ, ખાતરો અને વિવિધ આવશ્યક ચીજવસ્તુઓ ભારતમાં પહોંચે છે. ઈઝરાયલ, અમરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવરજવર અત્યંત પડકારજનક બની ગઈ છે. તેમ છતાં અમારી સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો ગંભીર રીતે વિક્ષેપિત ન થાય તે સુનિશ્ચિત કરવા પ્રયાસો કર્યા છે.

તેમણે નોંધ્યું હતું કે, જેમ આપણે બધા જાણીએ છીએ દેશ તેની LPG જરૂરિયાતોના 60% આયાત કરે છે. પુરવઠામાં અનિશ્ચિતતાને કારણે સરકારે સ્થાનિક LPG ગ્રાહકોને પ્રાથમિકતા આપી છે. ત્યાં જ સ્થાનિક LPG ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. પુરવઠા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સરળતાથી ચાલુ રહે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *