આમ આદમી પાર્ટી માટે 2026 નું વર્ષ મુશ્કેલીઓ ભરેલું સાબિત થઈ રહ્યું છે. પક્ષના અગ્રણી નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય છ સાંસદોએ એકસાથે રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાક્રમે અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય વિસ્તારની રણનીતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે.
દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી દેશવ્યાપી વિસ્તાર કરવા નીકળેલી આમ આદમી પાર્ટી (AAP) ને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. રાજ્ય સભાના પાર્ટીના બે તૃતીયાંશ સંસદ સભ્યો (MPs) એ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર સુપરત કર્યો છે, જેમાં ભાજપમાં ભળી જવાની માંગ કરવામાં આવી છે.
દિલ્હીમાં, રાઘવ ચઢ્ઢા સાથે પાર્ટીના સાંસદો અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ ફટકો પાર્ટીને એવા સમયે લાગ્યો છે જ્યારે તે ગુજરાતમાં ઊભા થવા અને ભાજપને પડકારવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહી હતી. આ મોટા ફટકા પછી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે હવે એક મોટો પડકાર છે. તેમણે આગળ શું પગલું ભરવું જોઈએ? જ્યારે સમાચાર આવ્યા કે સાત AAP સાંસદો પાર્ટી છોડી રહ્યા છે ત્યારે મનીષ સિસોદિયા ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રચાર કરી રહ્યા હતા.
ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે
દિલ્હીમાં સત્તા મેળવ્યા પછી આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ ચૂંટણીમાં 27 બેઠકો જીતીને સફળતાપૂર્વક ગતિ પકડી હતી. ત્યારબાદ પાર્ટીએ 2022 ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 92 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો હતો. 2017 ની ચૂંટણીમાં AAP 20 બેઠકો જીતીને સૌથી મોટા વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવી હતી. હવે જ્યારે પાર્ટી બેવડી રણનીતિ પર કામ કરી રહી હતી. પંજાબમાં સત્તા જાળવી રાખવાનો અને સાથે સાથે ગુજરાતમાં ભાજપને પડકારવું તેને મોટો ફટકો પડ્યો છે.
ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
આ સંદર્ભમાં સંદીપ પાઠકનું વિદાય ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તેમણે અગાઉ ગુજરાત મોરચે વ્યાપકપણે કામ કર્યું છે. પંજાબમાં વિજય મેળવવામાં તેમની ભૂમિકાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. તેમની શરૂઆતની પ્રતિક્રિયામાં કેજરીવાલે કહ્યું કે ભાજપે ફરી એકવાર પંજાબના લોકો સાથે દગો કર્યો છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કેજરીવાલ પંજાબને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે કે શું તેઓ ગુજરાતમાં ભાજપ સામે લડવાનું ચાલુ રાખશે? આ મૂંઝવણ ખાસ કરીને તીવ્ર છે કારણ કે પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેની સંપૂર્ણ તાકાત રેડી દીધી છે, જેને 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા “સેમિફાઇનલ” તરીકે જોવામાં આવી રહી છે.
