જીવનશૈલી | આજે મોટાભાગના લોકો જે મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરે છે તેમાં હાઈ બ્લડ પ્રેશર (Hypertension) એક મુખ્ય પરિબળ છે. તે હૃદય રોગનું મુખ્ય કારણ પણ છે. બ્લડ પ્રેશર એ ધમનીઓની દિવાલો પર દબાણ છે જે રક્ત પ્રવાહ દરમિયાન તેમાંથી પસાર થાય છે. સામાન્ય રીતે તે 120/80 mm Hg ની નીચે હોવું જોઈએ.
લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો દ્વારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. કાર્ડિયોલોજિસ્ટ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. દિમિત્રી યારાનોવે ઇન્સ્ટાગ્રામ પર બ્લડ પ્રેશરને કુદરતી રીતે ઘટાડવામાં મદદ કરવા માટે ટિપ્સ શેર કરી છે.
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની સરળ ટિપ્સ
મીઠાનું સેવન ઓછું કરો: તમારા આહારમાં મીઠાનું સેવન ઓછું કરવું એ બ્લડ પ્રેશર ઘટાડવાનો સૌથી અસરકારક રસ્તો છે. અમેરિકન હાર્ટ એસોસિએશન દરરોજ 1,500 મિલિગ્રામથી ઓછું સોડિયમ (મીઠું) લેવાની ભલામણ કરે છે. પેકેજ્ડ, પ્રોસેસ્ડ ખોરાક ટાળો અને તાજા, ઘરે રાંધેલા ખોરાક ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
હેલ્ધી ડાયટ : બ્લડ પ્રેશર ઓછું કરવા માટે તમે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ DASH આહારનું પાલન કરી શકો છો. આ આહારમાં ફળો, શાકભાજી, અનાજ અને પ્રોટીનયુક્ત ખોરાકને પ્રાથમિકતા આપવી જોઈએ.
પોટેશિયમથી ભરપૂર ખોરાક: પોટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવા માટે ‘જાદુઈ મિનરલ’ છે. તે શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે અને રક્તવાહિનીઓને આરામ કરવામાં મદદ કરે છે. ફળો, એવોકાડો, પાલક અને કઠોળ પોટેશિયમથી ભરપૂર હોય છે. જો જરૂરી હોય તો, તમે તમારા ડૉક્ટરની સલાહ મુજબ પૂરક પણ લઈ શકો છો.
રેગ્યુલર કસરત: બ્લડ પ્રેશર ઘટાડવામાં બધી કસરતો સમાન રીતે અસરકારક નથી હોતી. હૃદયના સ્વાસ્થ્ય માટે કાર્ડિયો કસરતો અને શક્તિ તાલીમનો સમાવેશ કરતી મિશ્ર કસરત પદ્ધતિ શ્રેષ્ઠ છે.
તણાવ ટાળો : બ્લડ પ્રેશરને સાઈલેંટ કિલર કહેવામાં આવે છે. ઊંડા શ્વાસ, ધ્યાન અને દરરોજ 7-9 કલાકની ઊંઘ સુનિશ્ચિત કરીને તણાવને નિયંત્રિત કરી શકાય છે.
સ્મોકિંગ અને આલ્કોહોલ ટાળો : ધૂમ્રપાન અને દારૂ પીવાનું હૃદયના સ્વાસ્થ્ય માટે બીજા ક્રમનું સૌથી મોટું જોખમ છે. આ આદતોને સંપૂર્ણપણે દૂર કરવાથી અથવા ઘટાડવાથી બ્લડ પ્રેશર ઓછું કરવામાં અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ મળશે.
મહિલાઓ 30 વર્ષની ઉંમર શું ધ્યાન રાખવું? ક્યા ખાસ ટેસ્ટ કરાવવા જરૂરી?
દવાઓ નિયમિતપણે લો: જો જીવનશૈલીમાં ફેરફાર કરવા છતાં તમારું બ્લડ પ્રેશર ઘટતું નથી, તો તમારા ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ જ દવાઓ લેવાનું ભૂલશો નહીં. તમારી દવાઓ લેવામાં અચકાવાની જરૂર નથી.
