chanakya niti parenting suggestions : આચાર્ય ચાણક્ય પ્રાચીન ભારતના મહાન વિદ્વાનોમાંના એક હતા. તેમના દ્વારા લખાયેલા નીતિ શાસ્ત્રમાં જીવનના દરેક પાસાંનો ઉલ્લેખ છે, જે તેમણે ખૂબ જ સરળ રીતે સમજાવ્યા છે. જો ચાણક્ય નીતિમાં લખેલી બાબતોને વર્તમાન જીવનમાં અમલમાં મૂકવામાં આવે તો ઘણી બધી બાબતો સરળ બની શકે છે.
ચાણક્ય નીતિમાં પેરેન્ટિંગ વિશે પણ ઘણી બાબતો કહેવામાં આવી છે. બાળકોને બાળપણથી જ એવા ગુણો આપવા જોઈએ જે તેમનું ભવિષ્ય સારું બનાવે. બાળકો માટે પ્રથમ શિક્ષકો તેમના માતાપિતા છે. ચાણક્ય નીતિ અનુસાર દરેક માતાપિતાએ તેમના બાળકો સાથે તેમની ઉંમર અનુસાર વર્તન કરવું જોઈએ.
ચાણક્ય નીતિમાં પેરેન્ટિંગ ટિપ્સ
ચાણક્ય નીતિ અનુસાર પાંચ વર્ષ સુધીના બાળકને ખૂબ લાડ લડાવવા જોઈએ. પરંતુ આ પછી માતાપિતાએ થોડું ધ્યાન આપવાની જરૂર છે.
જ્યારે બાળક 5 થી 10 વર્ષની વય વચ્ચે ભૂલ કરે છે ત્યારે તેને અવગણવું જોઈએ નહીં. આ ઉંમર સુધી, માતાપિતાએ બાળકોને તેમની ભૂલો માટે ઠપકો આપવો જોઈએ.
ચાણક્ય નીતિ અનુસાર જ્યારે બાળક 16 વર્ષનું થાય છે, ત્યારે માતાપિતાએ તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. આ ઉંમરે બાળક પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે. મારવાની અને ઠપકો આપવાના બીકે બાળકો ઘણી બધી વાતો છુપાવવાનું શરૂ કરે છે, જે તેમના ભવિષ્યને અસર કરી શકે છે.
ચાણક્ય નીતિ અનુસાર વધુ પડતા લાડ લડાવવાથી બાળકોમાં ખરાબ ટેવો વિકસે છે, તેમને કડક શિક્ષણ આપીને તેઓ સારી ટેવો શીખે છે. તેથી જો જરૂર પડે તો બાળકોને દંડિત કરવામાં અચકાવું જોઈએ નહીં.
મલેશિયા, થાઇલેન્ડ અને સિંગાપુર ફરવા જવાની શાનદાર તક, જાણો કેવી રીતે અને કેટલો થશે ખ
આ સાથે ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે જે માતાપિતા તેમના બાળકોને શિક્ષણ આપતા નથી તેઓ તે બાળકોના દુશ્મન જેવા હોય છે. કારણ કે અશિક્ષિત બાળકોને વિદ્વાનોની સભામાં હંસની સભામાં બગલાઓની જેમ ધિક્કારવામાં આવે છે.
