સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાતાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની બાળકીનું મોત

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સુરતમાં ખાદ્ય સુરક્ષા અને રેસ્ટોરન્ટના ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરમાં શીતલ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવીને ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ કરુણ ઘટનામાં પરિવારની 5 વર્ષની માસૂમ દીકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે પરિવારે બહારથી એટલે કે શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવ્યું હતું. ભોજન આરોગ્યાના થોડા જ સમયમાં પરિવારના તમામ સભ્યોને ઊલટી, ઉબકા અને અસહ્ય પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં તમામ ૫ સભ્યોની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી.

પરિસ્થિતિ ગંભીર જણાતાં આસપાસના લોકો અને સંબંધીઓની મદદથી પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પક્ષીઓ આકાશમાં કેમ બનાવે છે અદ્ભૂત આકાર? Rosy Starling Murmurations પર અમદાવાદમાં થયો અભ્યાસ, ખુલ્યું રહસ્ય

હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 વર્ષની માસૂમ દીકરીને ઝેરની ગંભીર અસરના કારણે દમ તોડી દીધો હતો. માસૂમ બાળકીના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં માતા-પિતા અને અન્ય બે બાળકીઓ હોસ્પિટલમાં આઈસીયુ માં સારવાર હેઠળ છે અને તેઓની હાલત પણ ચિંતાજનક હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *