રાજકોટના સાંઢીયા પુલથી કોઠારીયા તરફ જતાં પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટવાની ઘટના બની. આ ઘટનાને પગલે વગર વરસાદે પાણીની રેલમછેલ જોવા મળી હતી. મળતી વિગત પ્રમાણે વહેલી સવારે ત્રણ વાગ્યે વાલ તૂટી ગયો અથવા તો તોડી નાખવામાં આવતા પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થયો હતો. વાલ તૂટી જતા પાણીનો ફૂવારો એક દુકાનની છત સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી જાણે વરસાદી પાણી વહેતા થયાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિકોએ યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી.
Source link
