BJP ‘Gen Z’ Outreach : ભાજપે દેશના યુવાનો અને ‘જેન ઝેડ’ મતદારો સુધી પહોંચવા માટે એક વિશેષ ટીમની રચના કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના નેતાઓને યુવાનો સાથે સીધો સંવાદ કરવા માટે યુનિવર્સિટીઓ અને શાળાઓની મુલાકાત લેવાના નિર્દેશોને પગલે આ પગલું લેવામાં આવ્યું છે.
ભાજપના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે યુવાનો સાથે જોડાવા માટે રચાયેલી આ સમર્પિત ટીમમાં ઘણા મોટા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામેલ છે.
સંવાદ દ્વારા જનાધાર બનાવવાનો પ્રયાસ
છત્તીસગઢના મંત્રી ઓપી ચૌધરી અને અન્ય યુવા નેતાઓને પણ આ અભિયાનનો ભાગ બનાવવામાં આવ્યા છે. પાર્ટી ટૂંક સમયમાં આ વિશેષ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરશે, જે હેઠળ યુવાનોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને અપેક્ષાઓને સમજવા માટે સીધા સંવાદ કાર્યક્રમો યોજવામાં આવશે.
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની પહેલી બેઠક
શનિવારે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં ભાજપની નવી રચાયેલી રાષ્ટ્રીય ટીમની પ્રથમ પરિચય બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના તમામ છ શ્લોક ગાવાથી બેઠકની શરૂઆત થઈ હતી. ભાજપે વંદે માતરમની તમામ શ્લોકને સામેલ કરવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો અને રાષ્ટ્રગાનને તેના પ્રથમ બે પંક્તિઓ સુધી મર્યાદિત રાખવાના કોંગ્રેસના નિર્ણયની નટિકા કરી હતી.
પૂણેમાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ ‘છાત્રો કી ગુંજ’
ભાજપની પહેલ એવા સમયે આવી છે જ્યારે વિપક્ષી કોંગ્રેસ પણ યુવા મતદારોને આકર્ષવા માટે આક્રમક વલણ અપનાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂણેના એઆઈએસએસએમએસ કોલેજ ગ્રાઉન્ડમાં ‘છાત્રો કી ગુંજ’ નામના મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. અગાઉ તેઓ કોટા, દહેરાદૂન અને પ્રયાગરાજમાં પણ આવા જ કાર્યક્રમોનું આયોજન કરી ચૂક્યા છે.
આ કાર્યક્રમમાં પેપર લીક, પરીક્ષાઓમાં ધાંધલી અને વધતી જતી શિક્ષણ ફી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં હજારો યુવાનો હાજરી આપે તેવી સંભાવના છે.
‘ત્રણ મહિનામાં ખાંડ લગભગ 40% મોંઘી થઈ ગઈ‘ , ખડગેએ પૂછ્યું – જનતા પર પડી રહેલા મોંઘવારીના માર માટે કોણ જવાબદાર?
કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર
ભાજપે રાહુલ ગાંધીના કાર્યક્રમ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા નવનાથ બાને કહ્યું કે કોંગ્રેસનો આ કાર્યક્રમ છાત્રોની ગુંજ નથી પરંતુ પૈસાની ગુંજ છે.
ભાજપના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ભીડને એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસરને પૈસા આપ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ઇન્ફ્લુએંસરને પ્રચાર માટે મોટી રકમની ઓફર કરવામાં આવી હતી અને ભીડ એકત્ર કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસે આ તમામ આરોપોને સીધેસીધે ફગાવી દીધા છે.
