એસિડિટી, પેટમાં ગેસ જેવી સમસ્યાથી મળશે છુટકારો, રોજ થોડી મિનિટો માટે કરો આ 5 કામ – Gujarati Information | Yoga for Digestion: 5 Poses to Enhance Digestive Well being

વિડિઓ VIDEO
Spread the love


યોગ્ય પાચન માટે તમે દરરોજ અર્ધ મત્સ્યેન્દ્રાસનનો અભ્યાસ કરી શકો છો. આ આસન પાચનતંત્ર ઉપરાંત પેટના આંતરિક અંગો, જેમ કે લીવર અને કિડનીને સક્રિય કરવામાં મદદ કરે છે. તે પાચનક્રિયા સુધારવા, કબજિયાતમાં રાહત આપવા અને કમરના નીચેના ભાગમાં થતો તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. (Getty Images)

યોગ્ય પાચન માટે તમે દરરોજ અર્ધ મત્સ્યેન્દ્રાસનનો અભ્યાસ કરી શકો છો. આ આસન પાચનતંત્ર ઉપરાંત પેટના આંતરિક અંગો, જેમ કે લીવર અને કિડનીને સક્રિય કરવામાં મદદ કરે છે. તે પાચનક્રિયા સુધારવા, કબજિયાતમાં રાહત આપવા અને કમરના નીચેના ભાગમાં થતો તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. (Getty Photographs)

1 / 5

ભુજંગાસન પણ પાચનતંત્ર માટે ફાયદાકારક યોગાસન માનવામાં આવે છે. તમે તેને દરરોજ સવારે 3થી 4 વખત કરી શકો છો અને દરેક વખતે લગભગ 30 સેકન્ડ સુધી પોઝિશન જાળવી શકો છો. તે એસિડિટી, ગેસ અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મેળવવામાં મદદ કરી શકે છે. આ આસન સવારે ખાલી પેટે કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. જ્યારે તમે પેટના બળે સૂઈને શરીરના ઉપરના ભાગને ઊંચો કરો છો, ત્યારે પેટના અવયવોને પણ સારો સ્ટ્રેચ મળે છે.

ભુજંગાસન પણ પાચનતંત્ર માટે ફાયદાકારક યોગાસન માનવામાં આવે છે. તમે તેને દરરોજ સવારે 3થી 4 વખત કરી શકો છો અને દરેક વખતે લગભગ 30 સેકન્ડ સુધી પોઝિશન જાળવી શકો છો. તે એસિડિટી, ગેસ અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મેળવવામાં મદદ કરી શકે છે. આ આસન સવારે ખાલી પેટે કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. જ્યારે તમે પેટના બળે સૂઈને શરીરના ઉપરના ભાગને ઊંચો કરો છો, ત્યારે પેટના અવયવોને પણ સારો સ્ટ્રેચ મળે છે.

2 / 5

જો તમને વારંવાર ગેસના કારણે પેટમાં દુખાવો અથવા પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય, તો પવનમુક્તાસન તમારા યોગ રૂટિનમાં સામેલ કરી શકો છો. આ આસન પેટમાં ફસાયેલા ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે અને પેટનું ફૂલવું ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે. આ આસન કરતી વખતે પેટના સ્નાયુઓ પર હળવું દબાણ આવે છે, જેના કારણે ગેસ બહાર નીકળવામાં મદદ મળે છે.

જો તમને વારંવાર ગેસના કારણે પેટમાં દુખાવો અથવા પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય, તો પવનમુક્તાસન તમારા યોગ રૂટિનમાં સામેલ કરી શકો છો. આ આસન પેટમાં ફસાયેલા ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે અને પેટનું ફૂલવું ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે. આ આસન કરતી વખતે પેટના સ્નાયુઓ પર હળવું દબાણ આવે છે, જેના કારણે ગેસ બહાર નીકળવામાં મદદ મળે છે.

3 / 5

તમે તમારી દૈનિક યોગ દિનચર્યામાં માર્જારિયાસન-બિતિલાસન એટલે કે કેટ-કાઉ પોઝનો પણ સમાવેશ કરી શકો છો. આ આસન કરોડરજ્જુને લવચીક અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સાથે જ પીઠના દુખાવામાં રાહત, માનસિક તણાવ ઘટાડવા અને પાચનક્રિયાને સક્રિય રાખવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે.

તમે તમારી દૈનિક યોગ દિનચર્યામાં માર્જારિયાસન-બિતિલાસન એટલે કે કેટ-કાઉ પોઝનો પણ સમાવેશ કરી શકો છો. આ આસન કરોડરજ્જુને લવચીક અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સાથે જ પીઠના દુખાવામાં રાહત, માનસિક તણાવ ઘટાડવા અને પાચનક્રિયાને સક્રિય રાખવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે.

4 / 5

વજ્રાસન પણ પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે એક સરળ અને ઉપયોગી આસન છે. ખાસ વાત એ છે કે આ આસન ખાલી પેટે તેમજ જમ્યા પછી પણ કરી શકાય છે. જો જમ્યા પછી ચાલવા જવાનો સમય ન હોય અથવા ચાલવાનું શક્ય ન હોય, તો થોડો સમય વજ્રાસનમાં બેસી શકાય છે. આ આસન પાચનક્રિયાને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

વજ્રાસન પણ પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે એક સરળ અને ઉપયોગી આસન છે. ખાસ વાત એ છે કે આ આસન ખાલી પેટે તેમજ જમ્યા પછી પણ કરી શકાય છે. જો જમ્યા પછી ચાલવા જવાનો સમય ન હોય અથવા ચાલવાનું શક્ય ન હોય, તો થોડો સમય વજ્રાસનમાં બેસી શકાય છે. આ આસન પાચનક્રિયાને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

5 / 5

Viral Video: નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? પહેલા આ વીડિયો જુઓ, તમારી આંખો ખોલી નાખશે



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *