રિપોર્ટ અનુસાર, BCCIના એક અધિકારીએ કહ્યું, ‘બુમરાહની તબિયત સારી થઈ રહી છે. બુમરાહના કિસ્સામાં, તમે ક્યારેય તેના વાપસી માટે સમયરેખા નક્કી કરી શકતા નથી. તે ધીમે ધીમે પોતાના કામનો ભાર વધારી રહ્યો છે. આ દરે, તે લગભગ બે અઠવાડિયામાં પાછા ફરવા માટે તૈયાર થઈ શકે છે. જો બુમરાહ આગામી બે અઠવાડિયા સુધી નહીં રમે, તો મુંબઈની ટીમ આ સમયગાળા દરમિયાન વધુ ચાર મેચ રમશે. આનો અર્થ એ થયો કે બુમરાહ IPLની શરૂઆતની 6-7 મેચોમાં રમી શકશે નહીં.
