રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો

રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Railway Information: રેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. હવે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ ચાંદીનો સિક્કો આપવામાં આવશે નહીં.

રેલ મંત્રાલયનો નવો નિર્ણય
રેલ મંત્રાલયનો નવો નિર્ણય

Railway Information: દેશમાં સેના અને રેલવેમાં હજુ પણ અંગ્રેજોના જમાનાની ઘણી પરંપરાઓ ચાલી આવી રહી છે. જોકે, તેમાં ધીમે-ધીમે ફેરફાર થઈ રહ્યા છે. સાથે જ જે નવી પરંપરાઓ શરૂ થઈ છે, તેમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. આ જ ક્રમમાં રેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય એ છે કે હવે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ ચાંદીનો સિક્કો આપવામાં આવશે નહીં.

સિક્કામાં પણ ભ્રષ્ટાચાર?

રેલવે સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે કે આ નિર્ણય પાછળ ચાંદીના ભાવમાં ભારે વધારો અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. થોડા દિવસ અગાઉ મધ્ય પ્રદેશમાંથી એવા સમાચાર આવ્યા હતા કે રેલવેએ કર્મચારીના રિટાયરમેન્ટના દિવસે જે સિલ્વર કોઈન આપ્યા હતા, તે ભેળસેળવાળા હતા. તપાસમાં જાણવા મળ્યું પડી કે તેમાં ચાંદીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. સિક્કા મોટા ભાગે તાંબાના બનેલા હતા. એટલે કે સિક્કા ખરીદનારાઓએ ગડબડ કરી હતી. તેથી હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે રિટાયરમેન્ટના દિવસે કોઈ સિક્કો આપવામાં આવશે નહીં.

રેલવે બોર્ડ તરફથી તમામ ઝોન અને પ્રોડક્શન યુનિટ્સના વડાઓને એક ચિઠ્ઠી મોકલવામાં આવી છે. તેમાં લખેલું છે કે “…હવે નક્કી કરવામાં આવ્યું છે કે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર કોઈન અથવા મેડલ આપવાની પરંપરા સમાપ્ત કરી દેવામાં આવે છે. જે ચાંદીના સિક્કા રેલવે પાસે પહેલેથી ખરીદેલા અથવા સ્ટોકમાં છે, તેનો હિસાબ-કિતાબ રાખવામાં આવે. આ નિર્ણયને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે.”

જોકે, આ ચિઠ્ઠીમાં નિર્ણય લેવાનું કોઈ ખાસ કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, અનેક પ્રકારની ચિંતાઓ હતી. જેમ કે બહારના વેન્ડર્સ પાસેથી ખરીદેલા સિક્કાઓની ક્વોલિટી ખરાબ હતી. સાથે જ ચાંદી મોંઘી થવાને કારણે ખર્ચ ઘટાડવો પણ જરૂરી હતો.

ક્યારે શરૂ થઈ હતી આ પરંપરા?

રિટાયર્ડ કર્મચારીઓને ચાંદીનો સિક્કો ભેટ આપવાની પરંપરા માર્ચ 2006માં શરૂ થઈ હતી. ત્યારે મંત્રાલયે નિર્ણય લીધો હતો કે જે પણ રેલવે કર્મચારી અથવા અધિકારી વોલન્ટરી રિટાયરમેન્ટ લે છે અથવા પોતાની નોકરી પૂર્ણ કરીને રિટાયર થાય છે, તેમને આશરે 20 ગ્રામનો સોનાની પડ ચઢાવેલો ચાંદીનો સિક્કો આપવામાં આવશે. તે સમયે આ સિક્કાની કિંમત આશરે 1 હજાર રૂપિયા હતી. હવે તેની કિંમત આશરે 10 હજાર રૂપિયા થઈ ગઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *