સવારના નાસ્તામાં આ 4 વસ્તુઓ ખાઇ લો, નબળાઇ થઇ જશે દૂર, ડોક્ટર પાસેથી જાણો ચમત્કારી ફુડ

સવારના નાસ્તામાં આ 4 વસ્તુઓ ખાઇ લો, નબળાઇ થઇ જશે દૂર, ડોક્ટર પાસેથી જાણો ચમત્કારી ફુડ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Breakfast Suggestions: જો તમે ઘણીવાર થાક, સુસ્તી અથવા પાચનની સમસ્યાઓથી પરેશાન રહો છો સૌથી પહેલા સવારના નાસ્તામાં સુધારો કરો. નાસ્તો એ દિવસનું પહેલું ભોજન છે, જે આપણે લગભગ 10-12 કલાકના લાંબા અંતરાલ પછી લઈએ છીએ. આ જ કારણ છે કે સવારે નાસ્તો દિવસભર આપણી ઊર્જા, ફોક્સ અને મેટાબોલિઝમને સીધી અસર કરે છે. આપણે સવારે શું ખાઈએ છીએ અને કેટલી માત્રામાં ખાઈએ છીએ તે ખૂબ મહત્વનું છે. જો નાસ્તો પોષક ન હોય, તો થાક, નબળાઇ, ચીડિયાપણું અને પાચનની સમસ્યાઓ આખો દિવસ ચાલુ રહી શકે છે.

સવારના નાસ્તામાં તંદુરસ્ત અને સંતુલિત ખોરાકનું સેવન કરવાથી શરીરને ત્વરિત ઊર્જા મળે છે, પાચનતંત્ર સક્રિય થાય છે અને બ્લડ સુગરનું સ્તર પણ નિયંત્રિત થાય છે. સારો નાસ્તો શરીરને જરૂરી પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ આપે છે, જે સ્નાયુઓને મજબૂત રાખે છે અને મગજ વધુ સારી રીતે કામ કરે છે. પોષક તત્વોથી ભરપૂર નાસ્તો આખો દિવસ ઊર્જા આપે છે, થાક અને નબળાઈ દૂર કરે છે અને વધુ પડતું ખાવાની આદત પણ ઘટાડે છે.

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને સાઉલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર અને એઈમ્સના ભૂતપૂર્વ સલાહકાર ડો.વિમલ છાજેડના જણાવ્યા અનુસાર સવારે પહેલું ભોજન નક્કી કરે છે કે તમારું શરીર આખો દિવસ કેવી પ્રતિક્રિયા આપશે. જો કેટલીક વસ્તુઓને રાત્રે પલાળીને સવારે ખાલી પેટે ખાવામાં આવે તો શરીરને ઘણું પોષણ મળે છે અને અનેક રોગોથી બચી જાય છે. જો તમને વારંવાર થાક લાગે છે અથવા તમારું પેટ હંમેશા અસ્વસ્થ રહે છે, તો આ 4 સુપરફૂડ્સ તમારા શરીરની ‘પાવર બેંક’ સાબિત થઈ શકે છે. સવારે નાસ્તામાં સામેલ કરી શકાય તેવા ચાર સુપરફૂડ્સ કયા છે ચાલો જાણીએ.

પલાળેલા ઓટ્સ ખાઓ

ઓટ્સની ગણતરી આજના સમયમાં સૌથી આરોગ્યપ્રદ ખોરાકમાં થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં હાજર પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઓમેગા -3 ફેટી એસિડ જોવા મળે છે, જે શરીર અને મગજ બંનેને સ્વસ્થ રાખે છે. ડો.છાજેડના જણાવ્યા અનુસાર, ઓટ્સને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે દહીં, સ્કિમ્ડ મિલ્ક, બદામનું દૂધ, નાળિયેર દૂધ સાથે સેવન કરી શકો છે.

પલાળેલી દાળ અને સ્પ્રાઉટ્સ ખાઓ

સવારના નાસ્તામાં મગ, ચણા, બીન્સ જેવા કઠોળને પલાળીને અથવા સ્પ્રાઉટ્સ કરીને ખાવા ખૂબ ફાયદાકારક છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. સ્પ્રાઉટ્સ વિટામિન સીની માત્રામાં વધારો કરે છે જે પેટના ગેસ અને પાચનની સમસ્યાઓમાં રાહત આપે છે. પલાળેલા અથવા અંકુરિત કઠોળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

પલાળેલું જીરું

ડો.છાજેડ જણાવે છે કે જો જીરું રાત્રે પાણીમાં પલાળી રાખવામાં આવે અને સવારે તેનું પાણી પીવામાં આવે તો ઝાડા, ઉલટી, ગેસ, પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મળી શકે છે. જીરું લીવરને મજબૂત બનાવે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે, જે ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આ પણ વાંચો – તમે પર્યાપ્ત પાણી પી રહ્યા નથી તો શરીર આપે છે આ 5 ચેતવણી સંકેત! જાણો

તાંબાના વાસણનું પાણી પીવો

જો પાણીને રાત્રે તાંબાના વાસણમાં રાખીને સવારે પીવામાં આવે તો આ પાણીમાં કોપર મિક્સ થાય છે અને આપણા શરીરને પર્યાપ્ત કોપર મળે છે. કોપર એક આવશ્યક સૂક્ષ્મ પોષક તત્વો છે. તે એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ છે જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. આ પાણી થાઇરોઇડ ગ્રંથિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ડો.છજેડના જણાવ્યા અનુસાર તાંબાનું પાણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને હાડકાંને મજબૂત કરવામાં પણ મદદગાર બની શકે છે.

નિષ્કર્ષ

સવારે નાસ્તો માત્ર પેટ ભરવા માટે જ નથી, પરંતુ આખો દિવસ શરીરને સક્રિય અને સ્વસ્થ રાખવાનો પાયો છે. તેથી તમારા નાસ્તામાં યોગ્ય અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરો, જેથી તમે આખો દિવસ તાજગી અને ઊર્જાવાન અનુભવી શકો.

(ડિસ્ક્લેમર : આ સ્ટોરી સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવી છે. કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *