PM Narendra Modi tackle nation : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. લોકસભામાં મહિલા અનામત બિલ પાસ ન થયા બાદ પીએમ મોદીનું સંબોધન થવા જઈ રહ્યું છે. શનિવારે મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ભૂલની કિંમત વિપક્ષને ચૂકવવી પડશે. હવે પીએમ મોદી રાત્રે સાડા આઠ વાગ્યે સંબોધન કરવાના છે.
મહિલા અનામત સંશોધન બિલથી સંબંધિત 131મું બંધારણીય સુધારા વિધેયક લોકસભામાં પાસ થઈ શક્યું હતું નહીં. આ બિલ પર સતત બે દિવસ સુધી ચર્ચા થઈ હતી. આ પછી શુક્રવારે સાંજે આ બિલ પર મતદાનમાં થયું હતું. કુલ 298 સાંસદોએ બિલની તરફેણમાં મત આપ્યો હતો, જ્યારે 230 સાંસદોએ વિરુદ્ધમાં મત આપ્યો હતો.
લોકસભામાં આ બિલ કેમ પાસ ના થયું?
લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલા સુધારા બિલ પર કુલ 528 સાંસદોએ મતદાન કર્યું હતું. પરિણામે બિલ પસાર કરવા માટે 326 સાંસદોના મતની જરૂર હતી, પરંતુ તરફેણમાં 298 મત પડ્યા હતા. જેના કારણે આ બિલ પાસ થઈ શક્યું નથી. આ બંધારણીય સુધારા બિલ હતું, જેથી તેને પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી.
ભાજપનું સ્ટેન્ડ
ભાજપ સતત પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષ પર પ્રહા કરી રહી છે. ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સમર્થક પક્ષોએ એ વાતની ઉજવણી કરી છે કે આ દેશમાં વર્ષોથી ચાલી આવી રહેલી સંઘર્ષશીલ રાજનીતિક મહિલાઓ, જે માત્ર 33 ટકા અધિકારોની માંગ કરી રહી હતી. તે મહિલાઓને કેવી રીતે મર્યાદાઓ તોડીને તેના અધિકારથી વંચિત રાખવામાં આવે, સંસદનો સંઘર્ષ કેવી રીતે જીતવામાં આવે તે ઉજવણીમાં કોંગ્રેસ અને તેના સમર્થક દળો ડૂબેલા છે. આ ભાજપ માટે સત્તાનો સંઘર્ષ નહીં સમાનતાનો અધિકાર આપવાનો સવાલ હતો.
લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલ સંવિધાન સંશોધન બિલ પાસ ના થયું, પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા
કોંગ્રેસનું સ્ટેન્ડ
વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળતા પત્રકાર પરિષદ કરી હતી. તેમણે કહ્યું હતું કે ગઇકાલે જે થયું તે લોકશાહીની મોટી જીત છે. સંઘીય માળખાને બદલવા અને લોકશાહીને નબળી પાડવાનું સરકારનું ષડયંત્ર હતું તેને રોકવામાં આવ્યું હતું. તે બંધારણની જીત હતી, દેશની જીત હતી અને વિપક્ષની એકતાની જીત હતી અને તે શાસક પક્ષના નેતાઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી
તેમણે કહ્યું કે મને લાગે છે કે તે એક ષડયંત્ર છે કે કોઈક રીતે તેઓએ સત્તામાં બની રહેવું છે. તેથી આ હાંસલ કરવા માટે તેઓ મહિલાઓનો ઉપયોગ કરીને કાયમ માટે સત્તામાં રહેવાની યોજના બનાવી રહ્યા છે. તેઓએ વિચાર્યું કે જો તે પાસ થઇ જાય તો તેઓ જીતી જશે. જો તે પાસ નહીં થાય તો તેઓ અન્ય પક્ષોને મહિલા વિરોધી કહીને મહિલાઓના મસીહા બનશે. અમે જાણીએ છીએ કે મહિલાઓ માટે મસીહા બનવું સરળ નથી.
