Nandigram bypoll : પશ્ચિમ બંગાળ કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે 2007 સાથે સંબંધિત અનેક કેસોમાં તેમના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી હોવા છતાં તે નંદીગ્રામ પેટાચૂંટણીમાં પીછેહઠ કરશે નહીં. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શુભંકર સરકારે કહ્યું હતું કે પ્રધાનને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે તો પણ પાર્ટી તેમનું ચૂંટણી અભિયાન ચાલુ રાખશે.
હલ્દિયા સબ ડિવિઝનલ કોર્ટની બહાર શુભંકર સરકારે કહ્યું કે અમે કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. જો અમારા ઉમેદવારને જેલમાં મોકલવામાં આવશે તો હજારો મિલન પ્રધાનો નંદીગ્રામમાં ઉતરીને પ્રચાર કરશે. તેઓ પત્રિકાઓનું વિતરણ કરશે. પ્રધાનની ધરપકડ એ દિવસે કરવામાં આવી છે જ્યારે મમતા બેનર્જીના કેમ્પના ઉમેદવાર સંચિતા પ્રધાને 6 ઓક્ટોબરે નંદીગ્રામમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ પછી પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો.
પોલીસે નિવેદનમાં શું કહ્યું?
પૂર્વા મેદિનીપુર જિલ્લા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનની ચાંદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નંદીગ્રામ અને ખેજૂરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોના સંદર્ભમાં કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા ચાર બિનજામીનપાત્ર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, હત્યાના ઇરાદાથી અપહરણ, પુરાવા નષ્ટ કરવા, બળજબરીથી ઘરમાં પ્રવેશ, હથિયારો અને ઘાતક હથિયારોથી રમખાણો કરવા જેવા આરોપોનો સમાવેશ થાય છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ 2007 થી 19 વર્ષથી ફરાર હતો અને કાયદાની યોગ્ય પ્રક્રિયાથી બચી રહ્યો હતો. સંબંધિત કેસોમાં ભાગેડુ તરીકે તેના પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વોરંટને અમલમાં મૂકવાના ઘણા પ્રયત્નો ભૂતકાળમાં નિષ્ફળ ગયા હતા.
પીએમ મોદીને UAE ના રાષ્ટ્રપતિએ ફોન કરી જન્મદિવસની શુભકામના પાઠવી, આ મુદ્દાઓ પર ચર્ચા કરી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લાંબા સમયથી પેન્ડિંગ બિનજામીનપાત્ર વોરંટનો અમલ એ તમામ ચૂંટણીઓ / પેટાચૂંટણીઓના સંદર્ભમાં ભારતના ચૂંટણી પંચનો સ્થાયી નિર્દેશ છે. આ ધરપકડ ચાલી રહેલા વિશેષ ઓપરેશન દરમિયાન તેના પાલનની દિશામાં લેવામાં આવેલું કાનૂની પગલું છે.
રાહુલ ગાંધીએ કરી ટીકા
પ્રધાનની ધરપકડથી વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્યોએ પોલીસની કાર્યવાહીની સખત નિંદા કરી હતી. બીજી તરફ ઋતબ્રતા બેનર્જીએ શનિવારે એક્સ પર કહ્યું કે અમે તૃણમૂલ કોંગ્રેસે મિલન પ્રધાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમની વિરુદ્ધ હત્યાના ત્રણ કેસ પેન્ડિંગ છે. ચૂંટણી દરમિયાન વોરંટનો અમલ કરવો ફરજિયાત છે. સંભવતઃ પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વએ રાહુલ ગાંધીને વાસ્તવિક માહિતી આપી નથી.
