Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું

Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Rath Yatra 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભવ્ય રથયાત્રા 2026 ની સુરક્ષા અને વહીવટી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રાના રૂટ પર આવતા તમામ ભક્તો અને સામાન્ય જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ કવાયતના ભાગરૂપે દરિયાપુરના જોર્ડન રોડ પર આવેલા એક અત્યંત જર્જરિત અને ભયજનક મકાનને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દરિયાપુરમાં આવેલા જોર્ડન રોડ પર આવેલું ખખડધજ મકાન ગમે ત્યારે પડી શકે તેમ હતું, જે રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના નોતરી શકતું હતું. આથી AMC ની એસ્ટેટ અને સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા જેસીબી અને મજૂરોની મદદથી આ બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે.

ક્લિયર રૂટ ઓપરેશન: રથયાત્રાના સમગ્ર રૂટ પર રસ્તા નડતરરૂપ દબાણો, લટકતા વીજળીના વાયરો, ઝાડની નમી ગયેલી ડાળીઓ અને આવા જર્જરિત મકાનોને શોધીને તેને ઠીક કરવાની કામગીરી એડવાન્સમાં કરવામાં આવી રહી છે.

શ્રદ્ધાળુઓની સુરક્ષા સર્વોપરી: દર વર્ષે લાખોની સંખ્યામાં માનવમેદની ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડતી હોવાથી કોર્પોરેશન અને પોલીસ પ્રશાસન સંયુક્ત રીતે રૂટની ચકાસણી કરી રહ્યા છે.

રથયાત્રાને લઈ AMC ની ખાસ તૈયારીઓ

AMC એ 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા સલામત અને સ્વચ્છ વાતાવરણમાં થાય તે માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે. 13 કિમીથી વધુના રૂટ પર સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને આવરી લેતું એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં 440 સ્વચ્છતા કર્મચારીઓ, 203 ફાયર કર્મચારીઓ, 7 મોબાઇલ મેડિકલ વાન અને 15 મેડિકલ ઓફિસરોની તૈનાતીનો સમાવેશ થાય છે. વધુમાં 560 વધારાની ફ્લડલાઇટ્સ સ્થાપિત કરવામાં આવી છે. વધુમાં, રૂટ પર 633 જર્જરિત અને જોખમી ઇમારતો ઓળખવામાં આવી છે, અને તેમને ચેતવણી સૂચનાઓ લગાવવામાં આવી છે. AMC ના મધ્ય અને ઉત્તર ઝોને આ કાર્યક્રમ માટે બહુ-સ્તરીય કાર્ય યોજના ઘડી છે.

રથયાત્રા દરમિયાન સ્વચ્છતા પર ખાસ ધ્યાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક ખાસ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. રથયાત્રાના દિવસે 440 સફાઈ કર્મચારીઓ અને સુપરવાઇઝરી સ્ટાફ તૈનાત કરવામાં આવશે અને કચરાના તાત્કાલિક નિકાલ માટે અસંખ્ય વાહનો કાર્યરત રહેશે. સરસપુર વિસ્તારમાં 13 ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવા માટે વાહનો અને 4 મોબાઇલ ટોઇલેટ વાન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *