Breaking Information : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો, હાઇકોર્ટે 34 દોષિતોને ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત રાખી

Breaking Information : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો, હાઇકોર્ટે 34 દોષિતોને ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત રાખી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad Serial Blast Case Judgement : અમદાવાદમાં 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે 38 દોષિતોની ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી. આ કેસ દેશના સૌથી ગંભીર આતંકી હુમલાઓમાંનો એક છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.

મૃતકો અને ઘાયલો માટે વળતર જાહેર 

આ સાથે જ હાઈકોર્ટે તમામ પીડિતોને વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે. અમદાવાદમાં 2008માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા 56 લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઉપરાંત 200 થી વધુ ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

રેયર ઓફ રેયરેસ્ટ કેસ

તમને જણાવી દઈએ કે આતંકવાદી હુમલાના 14 વર્ષ પછી, 2022માં વિશેષ અદાલતે 49 દોષિતોમાંથી 38 દોષિતોને ફાંસીની સજા જાહેર કરી હતી, જ્યારે 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. વિશેષ અદાલતે UAPA (Illegal Actions (Prevention) Act) અને IPC કલમ 302 ની જોગવાઈઓ હેઠળ સજા સંભળાવી હતી.

વિશેષ અદાલતે આ કેસને ‘રેયર ઓફ રેયરેસ્ટ’ ગણાવ્યો હતો. ખાસ વાત એ છે કે દેશના ઇતિહાસમાં આ પહેલો એવો કેસ છે જેમાં એક પણ કેસમાં સૌથી વધુ લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય. આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં 26 લોકોને ફાંસી આપવામાં આવી હતી.

26 જુલાઈ 2008ના રોજ સાંજે 6.30 કલાકે અમદાવાદમાં વિવિધ સ્થળોએ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. લગભગ 70 મિનિટની અંદર 21 વિસ્ફોટ થયા. આ વિસ્ફોટોમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા જ્યારે 56 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

14 વર્ષ સુનાવણી બાદ વિશેષ અદાલતનો ઐતિહાસિક ચુકાદો

ઉલ્લેખનીય છે કે, 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હુમલાખોરોએ શહેરના અનેક ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. તેમા બસો, બજારો અને હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટ બાદ અમદાવાદ અને સુરત માંથી પણ અનેક બોમ્બ મળી આવ્યા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીને આ હુમલાની જવાબદારી લીધી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, 2002ના ગુજરાત રમખાણોનો બદલો લેવાના ષડયંત્ર હેઠળ આ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

આ કેસમાં પોલીસે 78 લોકોને આરોપી બનાવ્યા હતા અને 35 જુદા જુદા કેસ નોંધ્યા હતા. આ કેસોની સુનાવણી માટે એક વિશેષ અદાલતની રચના કરવામાં આવી હતી.

1150થી વધુ સાક્ષીના નિવેદન, 6700 પાનાનો વિસ્તૃત ચુકાદો

સુનાવણી દરમિયાન કોર્ટમાં 1150થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પછી, 8 ફેબ્રુઆરી, 2022ના રોજ, વિશેષ અદાલતે 6700 થી વધુ પાનાંનો વિગતવાર ચુકાદો જારી કર્યો હતો.

વિશેષ અદાલતના આ ચુકાદાને દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવતા નીચલી અદાલતના આદેશને યથાવત રાખ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *