જીવનશૈલી | magnificence ideas | એવું કોઈ નથી જે ચમકતી ત્વચા (glowing pores and skin) અને મજબૂત વાળ ન ઇચ્છતું હોય. આ માટે બજારમાં ઉપલબ્ધ મોંઘા બ્યુટી પ્રોડક્ટસ અજમાવવા કરતાં આપણા રસોડામાં ઉપલબ્ધ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવો વધુ અસરકારક છે. તાજતેરમાં બોલીવુડ સ્ટાર ડેઝી શાહે તાજેતરમાં જ તેની સવારની રૂટિન શેર કરી હતી.
બોલીવુડ સ્ટાર ડેઝી શાહે તાજતેરમાં પોતાની ગ્લોઈંગ સ્કિન સિક્રેટ શેર કરી હતી, જે સરળ છતાં ખૂબ જ ફાયદાકારક છે. આ હર્બલ ડ્રિંક પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે શરીરનું આંતરિક સ્વાસ્થ્ય સુધરે છે, ત્યારે તે બાહ્ય સુંદરતામાં પણ પ્રતિબિંબિત થાય છે. પાચન સમસ્યાઓ અને પેટનું ફૂલવું દૂર કરીને, ત્વચાને કુદરતી ચમક મળે છે.
ડેઝી શાહે પિંકવિલાને કહ્યું કે “તે તમારી ત્વચા, વાળ, પાચનતંત્રને મદદ કરે છે અને પેટનું ફૂલવું ઓછું કરે છે. વરિયાળી, મેથી, આયુર્વેદિક જીરું અને અજમો રાતભર પલાળી રાખો. સવારે, આ પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો અને પીવો.”
ડેઝી શાહ ગ્લોઈંગ સ્કિન સિક્રેટ
કન્સલ્ટ ન્ટ ડાયેટિશિયન ગરિમા ગોયલ કહે છે કે “દરેક બીજમાં પાચન સ્વાસ્થ્ય સુધારવાની ક્ષમતા હોય છે. આ ત્વચાની ચમક, વાળના સ્વાસ્થ્ય અને પાચન માટે ફાયદાકારક હોઈ શકે છે.”
વરિયાળી ગેસ, પેટનું ફૂલવું અને પાચનમાં તકલીફ ઘટાડવામાં મદદ કરે છે. જીરું પાચન ઉત્સેચકોની પ્રવૃત્તિને ઉત્તેજિત કરે છે અને પોષક તત્વોના વધુ સારા શોષણમાં મદદ કરે છે. અજમોનો ઉપયોગ પરંપરાગત રીતે અપચોની સારવાર અને આંતરડાની ગતિને સરળ બનાવવા માટે કરવામાં આવે છે. મેથીમાં રહેલું દ્રાવ્ય ફાઇબર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે.
ઋત્વિકની બહેનને જંક ફૂડ અને આલ્કોહોલની આદત હતી, ડિસીપ્લિ દ્વારા ફેટી લીવરને માત આપી
જ્યારે આખી રાત પલાળીને સવારે ઉકાળવામાં આવે છે, ત્યારે આ બીજમાં રહેલા કાર્બનિક સંયોજનો પાણીમાં મુક્ત થાય છે. ગરિમાએ ઉમેર્યું કે “સવારે તેને ગરમ પીવાથી પાચનક્રિયા ઉત્તેજીત થાય છે અને શરીરમાં બિનજરૂરી પ્રવાહી જાળવણી ઓછી થાય છે. પાચન સ્વાસ્થ્ય સીધી સ્કિન અને વાળ સાથે જોડાયેલું હોવાથી, સારી પાચનક્રિયા સ્કિનની રચનાને સુધારવામાં મદદ કરી શકે છે.”
જોકે, આ પીણાને દવા તરીકે જોવાને બદલે, તેને એક સ્વસ્થ આદત માનો. જ્યારે તે નાની પાચન સમસ્યાઓ માટે ફાયદાકારક છે, ત્યારે તે ક્રોનિક પાચન રોગો અથવા હોર્મોનલ ફેરફારોને કારણે વાળ ખરવા માટે કાયમી ઉકેલ નથી.
એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ અને થાઇરોઇડની સમસ્યાઓ ધરાવતા લોકોએ મેથીનો ઉપયોગ મધ્યમ માત્રામાં કરવો જોઈએ. લો બ્લડ સુગરવાળા લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ.
પાચન સ્વાસ્થ્યમાં સુધારો કરતી આદતો તમારા શારીરિક દેખાવને સુધારવામાં મદદ કરી શકે છે. ગરિમા ગોયલ કહે છે કે “પુષ્કળ પાણી પીવું, ઉચ્ચ ફાઇબરયુક્ત ખોરાક લેવો, અને યોગ્ય પોષણ અને ઊંઘ લેવી એ મુખ્ય છે. જ્યારે આવા હર્બલ પીણાં સ્વસ્થ જીવનશૈલીમાં ઉમેરો છે, તે તબીબી સલાહનો વિકલ્પ નથી.”

