યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે દર્શન માટે જનાર ભક્તો માટે મોટા સમાચાર આવ્યા. 3 માર્ચના રોજ ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2:00 વાગે ડાકોરના ઠાકોરના દ્વાર થઈ બંધ જશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખુલશે. ઉલ્લેખનીય છે કે ફાગણી પૂનમ મોટી પૂનમ હોવાથી લાખો પદયાત્રીઓનું મહેરામણ દર્શન માટે ડાકોર મંદિર ખાતે ઉમટે છે. સાથે જ ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં ત્રિદિવસીય મેળો પણ યોજાય છે. ત્યારે શ્રદ્ધાળુઓએ દર્શનનો સમય જાણી લેવો ખૂબ જ જરૂરી છે. મહત્વનું છે કે પૂનમના આયોજનને લઈને તાજેતરમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં મંદિર પ્રશાસન, પોલીસ તંત્ર સહિત જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
Source link
