કેવી રીતે કામ કરે છે ટેક્નોલોજી :- NHAIએ જણાવ્યું કે, પાયલોટ પરીયોજના હેઠળ નેશનલ હાઇવે પરથી પસાર થતા લોકોને હાઇ રીસ્કવાળા વિસ્તારોમાં આશરે 10 કિલોમીટર પહેલા લોકેશન બેઝ્ડ એલર્ટ મોકલવામાં આવશે, જેનાથી વાહન ચાલકોને સાવધાની રાખવા માટે પર્યાપ્ત સમય મળી શકે. મુસાફરો સુધી અસરકારક રીતે મેસેજ પહોંચાડવા માટે પહેલા ફ્લેશ SMS અને ત્યાર બાદ વોઇસ એલર્ટ આપવામાં આવશે. ફ્લેશન SMS હિંદીમાં હશે, જેમાં જણાવવામાં આવશે કે, ‘આગળ પશુઓ ગ્રસ્ત વિસ્તાર છે. કૃપા કરીને વધારે ધીમે વાહન ચલાવો.’

