બોટાદમાં થયેલા કડદાકાંડના આરોપી જેલમાંથી બહાર આવતા AAPમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. કોર્ટે જામીન આપતા આપના નેતા પ્રવીણ રામ સહિત 5 લોકો જેલમાંથી બહાર આવ્યા. પ્રવીણ રામ અને અન્ય નેતાઓ જેલની બહાર આવતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જેલના દરવાજે મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી પ્રવીણ રામ સહિતના નેતાઓનું ભવ્ય સ્વાગત કર્યું.
Source link
