માવઠાના માર પછી દ્વારકા જિલ્લા મોટાભાગના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરાયું છે. દ્વારકા જિલ્લામાં 1.38 લાખ હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ 61 હજાર હેક્ટર જમીનમાં ચણાના પાકનું વાવેતર થયું છે. જીરૂનું વાવેતર 38 હજાર હેક્ટરમાં તથા ધાણાનું વાવેતર 13 હજાર હેક્ટરમાં થયું છે. ઘઉંનું વાવેતર સૌથી ઓછું એટલે કે પખ્ત ચાર હજાર હેક્ટરમાં થયું છે.
Source link
