આર્થિક રીતે નબળા વર્ગને રાજકીય ક્ષેત્રે પણ અનામત મળે તેવી માંગ સાથે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં વર્ષો પહેલા અનામત આંદોલનના કેન્દ્રમાં રહેલા અનેક જાણીતા ચહેરાઓ ફરી એક મંચ પર જોવા મળ્યા હતા. દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા, રમજુભા જાડેજા સહિતના આગેવાનો વચ્ચે આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી હતી. જેમાં તમામ સમાજના પ્રતિનિધિઓએ એકસૂરે કહ્યું કે, રાજકીય પ્રતિનિધિત્વ વગર આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગનો અવાજ દબાઈ રહ્યો છે.

