ગુજરાતમાં મુશળધાર વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. વલસાડ, વાપી, ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર થઈ હતી, જ્યાં ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર દરમિયાન જીવ બચાવનારા ગુજરાત પોલીસ કર્મચારીઓના વખાણ કર્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લસાડનો એક વીડિયો શેર કરીને તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સહિત સમગ્ર ટીમની હિંમતને સલામ કરી. આ દરમિયાન રાજ્ય સરકારે અહેવાલ આપ્યો છે કે અત્યાર સુધીમાં 42,158 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ વીડિયો શેર કર્યો
Gujarat Police risked their very own lives within the Valsad floods to tug individuals out, carry youngsters, and preserve communities secure.
No uniform can measure this braveness. Thanks PI Gohil for being our defend.#ProudOfGujaratPolice#Valsad#FloodRescuepic.twitter.com/EszMKyDUEp
— Harsh Sanghavi (@sanghaviharsh) July 25, 2026
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર પછી લોકોને મદદ કરવા બદલ પોલીસના વખાણ કર્યા છે. તેમણે વલસાડનો એક વીડિયો શેર કરતી વખતે ગુજરાત પોલીસની પ્રશંસા કરી. તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું કે વલસાડ પૂર દરમિયાન લોકોને બહાર કાઢવા, બાળકોને સલામત સ્થળે લઈ જવા અને સમુદાયોનું રક્ષણ કરવા માટે ગુજરાત પોલીસે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. કોઈ પણ વર્ધીની આવી હિંમતને માપી શકતું નથી. તેમણે જનતા માટે ઢાલ તરીકે કામ કરવા બદલ પીઆઈ ગોહિલનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ ધીમો પડ્યો છતાં આફત યથાવત, હજુ પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ
નોંધનીય છે કે ગુજરાતમાં ભારે વરસાદ બાદ રાહત અને પુનર્વસનના પ્રયાસો ચાલી રહ્યા છે, જેમાં 42,000 થી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. પ્રારંભિક અંદાજ મુજબ તાજેતરના પૂરમાં 308 પશુઓના મોત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) ખાતે વિકસતી વરસાદની પરિસ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. તેમની સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરવ મકવાણા પણ હતા.
