ખંભાળિયાના પ્રસિદ્ધ લોકમેળામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. મોતના કૂવા પાસે એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં ધૂમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.
Source link
