એક વનડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, આ યાદીમાં માત્ર સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા છે. સચિન અને સેહવાગે 25-25 ચોગ્ગા માર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 33 ચોગ્ગા સાથે આ બંનેને ઘણા પાછળ છોડી દીધા. આ ત્રણેય દિગ્ગજોની ઈનિંગ્સ ભારતીય વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ખાસ કરીને રોહિતની 264 રનની ઈનિંગ્સ, જેમાં તેણે 33 ચોગ્ગા મારીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.
