કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્ર મુજબ, વાંઠવાડી ગામની બ્લોક નં. 845, 836 અને સર્વે નં. 506 વાળી જમીન વર્ષ 1979માં સરકારે કાયદેસર રીતે સંપાદિત કરી વળતર ચૂકવી દીધું હતું અને ત્યાં સિંચાઈ વિભાગની કોલોની પણ આવેલી છે. તેમ છતાં, સરકારી રેકોર્ડમાં ગંભીર ચેડાં કરી, ખોટી વારસાઈ દાખલ કરી અને બનાવટી દસ્તાવેજોના આધારે આ કરોડોની સરકારી જમીન ખાનગી મિલકત તરીકે વેચી મારવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ પૂર્વયોજિત હતું.

