Ayatollah Seyyed Ali Khamenei funeral ceremony : બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટા ઈરાનના પૂર્વ સર્વોચ્ચ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનેઇના રાજકીય અંતિમ સંસ્કાર અને દફનાવવાની વિધિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઈરાનના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ સમારોહમાં ભાગ લેવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. જોકે વડાપ્રધાન તેમાં હાજરી આપી શકશે નહીં. આનું કારણ એ છે કે તે જ સમયે તેઓ ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ-નિર્ધારિત યાત્રા પર હશે.
અંતિમ સંસ્કારની વિધિ પહેલા માર્ચમાં થવાની હતી, પરંતુ આ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે મુલતવી રાખવામાં આવી હતી. હવે જુલાઈમાં ઈરાનના ઘણા શહેરોમાં તે ઘણા દિવસો સુધી યોજાશે. રાજ્ય અંતિમ સંસ્કાર 4 જુલાઈથી શરૂ થશે. ખામેનેઈના પાર્થિવ દેહને તેહરાનના ગ્રાન્ડ મોસાલ્લા કોમ્પ્લેક્સમાં રાખવામાં આવશે.
તેહરાન અને કોમમાં સરઘસ કાઢવામાં આવશે
આ સમારોહના ભાગરૂપે તેહરાન અને કોમમાં જાહેર સરઘસ યોજાશે. ઇરાકના પવિત્ર શહેરો નજફ અને કરબલામાં પણ નમાઝ પઢવામાં આવશે. ખામેનેઈના વતન મશહદના ઇમામ રઝા દરગાહ પર 9 જુલાઈએ અંતિમવિધિ સમારોહ યોજાશે.
Bihar Governor Lt Gen Syed Ata Hasnain and Minister of State for Exterior Affairs, Pabitra Margherita, to attend funeral ceremony of Supreme Chief Ayatollah Seyyed Ali Khamenei on behalf of the Indian authorities: Iranian Sources pic.twitter.com/CnjeFZp3Ju
— ANI (@ANI) June 29, 2026
ત્રણ દાયકાથી વધુ સમય સુધી ઇરાનનું નેતૃત્વ કરનાર અયાતુલ્લાહ અલી ખામેનેઇ 28 ફેબ્રુઆરીએ તેહરાન પર યુએસ અને ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. 8 માર્ચે તેમના અવસાન પછી તેમના પુત્ર મોજતબા હુસૈની ખામેનીઇએ ઇરાનના સર્વોચ્ચ નેતા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જોકે કેટલાક વરિષ્ઠ અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ કોમામાં છ. તેમની તબિયત અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. ઇરાને સત્તાવાર રીતે આ દાવાઓની પુષ્ટિ કરી નથી.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં, ડોનાલ્ડ ટ્રમ્પ 2027ની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે
ભારત અને ઈરાન વચ્ચે મજબૂત ભાગીદારી
ભારત અને ઈરાન વચ્ચે દાયકાઓથી મજબૂત ભાગીદારી છે. યુદ્ધ દરમિયાન તણાવ હોવા છતાં ભારતે તેહરાન સાથે પોતાના સંબંધો જાળવી રાખ્યા છે. આ દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે અનેક વખત વાતચીત થઈ હતી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આ વર્ષની શરૂઆતમાં એક બેઠક માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે અન્ય પ્રતિનિધિઓ થોડા અઠવાડિયા પહેલા ભારત આવ્યા હતા.
