પાણી માત્ર તરસ છીપાવવાનું કામ કરતું નથી, પરંતુ તે શરીરનું સૌથી જરૂરી તત્વ છે જે દરેક કોષ, અંગ અને તંત્રને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે ફક્ત પાણી પૂરતું નથી, પરંતુ પાણી ક્યારે, કેવી રીતે અને કેટલું પીવું તે પણ મહત્વનું છે. આયુર્વેદ અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાણી પીવાના કેટલાક નિયમો છે, જેનું રોજ પાલન કરવામાં આવે તો રોગોથી બચી શકાય છે, એટલું જ નહીં તે ઉંમર કરતા ઘણા વર્ષો નાના પણ દેખાઈ શકો છે.
સાઇકોલોજિસ્ટ અને હીલિંગ એક્સપર્ટ ડો.મદન મોદીએ કહ્યું કે જો તમે પણ ચહેરા પર ગ્લો, ફ્રેશનેસ અને એનર્જી રાખવા માંગો છો તો પાણી પીવાના 4 નિયમોનું પાલન શરૂ કરી દો, કારણ કે પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ડો.મદન મોદીએ કહ્યું કે જો પાણી યોગ્ય રીતે અને સમયસર પીવામાં આવે તો 60 વર્ષની ઉંમરે પણ તમે 35 વર્ષના જોવા મળશો.
દિવસની શરૂઆત પાણીથી કરો
આપણે ઘણી વખત આપણા દિવસની શરૂઆત એક કપ ચા થી અથવા આપણા ફોન પર સ્ક્રોલિંગથી કરીએ છીએ, પરંતુ દિવસની શરૂઆત કરવાની શ્રેષ્ઠ રીત પાણીથી છે. સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાથી અને પેટમાં કશું જ ન હોવાથી શરીરમાં સંગ્રહિત ઝેરી પદાર્થ એટલે કે ટોક્સિન બહાર નીકળી જાય છે. ખાસ કરીને ગરમ પાણી મેટાબોલિઝમને વેગ આપે છે અને કબજિયાતને પણ દૂર કરે છે. તે માત્ર શરીર માટે જ નહીં પરંતુ ચહેરા માટે પણ ડિટોક્સ છે.
માટીના ઘડાનું કુદરતી ઠંડું પાણી સ્વાસ્થ્ય માટે સારું
ઉનાળામાં ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાથી તમને ક્ષણિક આનંદ મળી શકે છે, પરંતુ તેની આડઅસર લાંબા સમય સુધી રહે છે. ઠંડુ પાણી પાચનને ધીમું કરે છે અને શરીરની ગરમીને કંટ્રોલ કરવામાં અવરોધે છે. તેના બદલે માટીના ઘડાનું કુદરતી ઠંડું પાણી સ્વાસ્થ્ય માટે સારું છે. પાણી જેટલું કુદરતી હશે, તેટલું જ તે શરીર માટે અનુકૂળ રહેશે.
વરસાદમાં આ 8 શાકભાજીનું સેવન શરુ કરી દો, બીમાર થવાથી બચાવશે!
ઘૂંટડો ભરો અને પાણી પીવો
પાણી શરીર માટે ખૂબ જરૂરી છે, પરંતુ જો તેને ઝડપથી પીવામાં આવે તો તે હાનિકારક પણ હોઈ શકે છે. જ્યારે આપણે આરામથી એક સમયે ઘૂંટડે-ઘૂંટડે પાણી પીએ છીએ ત્યારે લાળમાં રહેલા ઉત્સેચકો પણ પેટમાં જાય છે, જે પાચન માટે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે. માટે પાણી પીવું ધ્યાન જેવું હોવું જોઈએ.
હંમેશા બેસીને પાણી પીવું
જમતાં પહેલાં કે તરત જ પાણી પીવાથી આપણા શરીરની પાચનક્રિયા ડિસ્ટર્બ થઈ શકે છે. તેથી જમતાં પહેલાં લગભગ 30 મિનિટ પહેલાં અને 30 મિનિટ પછી પાણી પીવું આદર્શ છે. આ ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે, પેટ ફૂલતું અટકાવે છે અને એસિડિટી જેવી સમસ્યાઓથી દૂર રહેવામાં પણ મદદ કરે છે. હંમેશા બેસીને પાણી પીવું, ઉભા રહીને પીવાથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ ખોરવાય છે.
