Delimitation Invoice : શિરોમણી અકાલી દળ (બાદલ)એ શનિવારે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા પરિસીમન બિલ અને મહિલા અનામત કાનૂનનું સમર્થન કર્યું છે. અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર જણાવ્યું હતું કે આ સંદર્ભે શનિવારે ચંદીગઢમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી.
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના એક દિવસ પછી આ જાહેરાત કરી હતી. જોકે અકાલી દળે પણ સીમાંકન બિલને લઇને પોતાની કેટલીક માંગણી પર મુકી છે.
મહિલા અનામત કાનૂન લાગુ કરવાની માંગ
સુખબીર સિંહ બાદલે એક્સ પર જાહેરાત કરતા લખ્યું કે શિરોમણી અકાલી દળે શનિવારે ચંદીગઢમાં તેમના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં દેશમાં મહિલા અનામત કાનૂનને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી હતી.
તેમણે કહ્યું કે શિરોમણી અકાલી દળને શીખ ગુરુઓની શિક્ષાઓમાંથી પ્રેરણા મળે છે, જેમણે મહિલાઓના સન્માન, સમાનતા અને સમાન અધિકારોની હિમાયત કરી હતી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પોતાની સભામાં મહિલાઓ માટે અનામતની વ્યવસ્થા કરીને પહેલા જ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
પરિસીમન વિધેયક પર કરી આ માંગણી
સુખબીર સિંહે કેન્દ્રને માંગ કરતા કહ્યું કે સંસદ સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ શિરોમણી અકાલી દળે એક નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ પરિસીમનની માંગ કરી હતી, જેથી તમામ રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ મળે.
The Shiromani Akali Dal, at a gathering of its senior leaders in Chandigarh right now, demanded the instant implementation of the Ladies’s Reservation Invoice within the nation.
The Shiromani Akali Dal attracts inspiration from the teachings of the Sikh Gurus, who championed the dignity,… pic.twitter.com/y7VP39zdyk
— Sukhbir Singh Badal (@officeofssbadal) August 8, 2026
કેન્દ્રના પ્રસ્તાવને સમર્થન આપ્યું
શિરોમણી અકાલી દળે ગૃહમાં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું, જેમાં તમામ રાજ્યોમાં બેઠકોમાં એકસરખી 50 ટકા વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા અનામત અને સીમાંકનનું કામ તાત્કાલિક થવું જોઈએ.
#WATCH | Chandigarh | Shiromani Akali Dal chief Daljit Singh Cheema says, “We weren’t against delimitation. For a while, our concern was that states which had efficiently carried out inhabitants management measures shouldn’t be deprived… There was a suggestion from the… pic.twitter.com/9nZPqp6DeA
— ANI (@ANI) August 8, 2026
શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ આ મામલાને લઇને કહ્યું કે અમે પરિસીમનના વિરુદ્ધ ન હતા. છેલ્લા કેટલાક સમયથી અમારી ચિંતા એ હતી કે જે રાજ્યોએ વસ્તી નિયંત્રણના પગલાંનો સફળતાપૂર્વક અમલ કર્યો છે તેમને નુકસાન ન થવું જોઈએ. ગૃહમંત્રી તરફથી એ સુઝાવ આવ્યો હતો કે બધા માટે બેઠકોમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. જ્યારે અમે સંમત થયા કે આ ફોર્મ્યુલા સાચી છે ત્યારે અમે તેને લાગુ કરવાની સાથે-સાથે પરિસીમન અને મહિલા અનામત લાગુ કરવા ઉપર પણ પોતાની સહમતિ આપી દીધી છે.
સુખબીર સિંહ બાદલની એક દિવસ પહેલા પીએમ મોદી સાથે મુલાકાત થઇ હતી
અકાલી દળે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મહિલા અનામત અધિનિયમ અને સીમાંકન બિલ પર વહેલી તકે આગળ વધવું જોઈએ. સુખબીર બાદલે એક દિવસ પહેલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અકાલી દળના આ તાજેતરના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ટૂંક સમયમાં પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.
