
ભારતીય ઘરોમાં દરરોજ સવારે અને સાંજે પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન દીવો પણ પ્રગટાવવામાં આવે છે. ઘણા લોકો પૂજા કર્યા પછી બાકી રહેલી વાટને ફેંકી દે છે, પરંતુ તેનો ઉપયોગ બીજી ઘણી રીતે પણ કરી શકાય છે. પૂજા પછી તમે સળગેલી વાટથી કાજળ (મેશ) પણ તૈયાર કરી શકો છો.
મોટાભાગના લોકો બજારમાંથી કાજળ ખરીદીને તેનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાં રહેલા કેમિકલના કારણે તે ક્યારેક આંખો માટે ખતરનાક સાબિત થાય છે અને તેને લગાવ્યા બાદ આંખોમાં બળતરાની સમસ્યા પેદા થાય છે. આવી સ્થિતિમાં તમે ઘરે જ દીવાની વાટથી કાજળ તૈયાર કરી શકો છો. તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ ન હોવાને કારણે આંખોમાં લગાવવું પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
આ કાજળ ખૂબ જ ખાસ છે
પૂજાના સમયે ઘી ની મદદથી દીવો પ્રગટાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે તેમાંથી કાજળતૈયાર કરો છો, ત્યારે તેમાં કોઈ રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને આંખો પર લગાવવાથી કોઈ બળતરા થતી નથી અને તેની કોઈ આડઅસર પણ થતી નથી.
કાજળ કેવી રીતે બનાવશો?
સ્ટેપ 1
સૌ પ્રથમ પૂજામાં પ્રગટાવેલા દીવાની પ્રગટાવેલી વાટને એકત્રિત કરો. હવે તેને એક મોટા દીવામાં મૂકીને સળગાવો. આ પછી એક સાદી પ્લેટ લો અને તેને દીવાની જ્યોત પર ઊંધી મૂકો. થોડી મિનિટો માટે પ્લેટને દીવાની જ્યોત પર રાખો. ધીમે-ધીમે ધુમાડાના કારણે પ્લેટ પર કાજળના પરત જામવા લાગશે.
તમારા ઘરને ઇન્ડોર પ્લાન્ટથી સજાવો, ટોકરીમાંથી બનાવો સુંદર કુંડા
સ્ટેપ-2
થોડા સમય બાદ જ્યારે દીવો બુઝાઈ જાય ત્યારે પ્લેટ પર જમા થયેલી કાજળને સાફ આંગળી અથવા નાની સળીને મદદથી હળવા હાથે ભેગી કરી લો. હવે તેમાં થોડી માત્રામાં ઘી અથવા નાળિયેર તેલ ઉમેરો. આનાથી આ કાજળ મુલાયમ પેસ્ટની જેમ તૈયાર થઈ જશે. તમે તેને નાના ડબ્બામાં સ્ટોર કરી શકો છો. આ રીતે તમારી હોમમેડ કાજળ તૈયાર થઇ જશે.
