જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | ઉપમાથી લઈને હલવા સુધી, સોજી આપણા રસોડામાં ઘણી વાનગી બનાવવા માટે એક અનિવાર્ય ઘટક છે. પરંતુ જ્યારે ડાયાબિટીસના દર્દીઓની વાત આવે છે, ત્યારે સોજીને ડાયટમાં શામેલ કરી શકાય છે કે કેમ તે હંમેશા પ્રશ્નાર્થ રહે છે. પુણેની જ્યુપિટર હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી કન્સલ્ટન્ટ ડૉ. સ્વાતિ ગોરે આપેલો જવાબ નોંધપાત્ર છે.
ડૉક્ટરે સ્પષ્ટતા કરી કે ડાયાબિટીસ ધરાવતા લોકોને સોજી સંપૂર્ણપણે ટાળવાની જરૂર નથી, પરંતુ તેમણે તેનું સેવન ખૂબ કાળજી અને સંયમથી કરવું જોઈએ.
ડૉ. સ્વાતીએ કહ્યું કે “ડાયાબિટીસના દર્દીઓના ડાયટમાં સોજીનો સમાવેશ કરી શકાય છે, પરંતુ તેનું સેવન કેટલું થાય છે તે નિયંત્રિત રાખવું જોઈએ. સોજીમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોવાથી, જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે લોહીમાં ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધારી શકે છે.”
સોજી બ્લડ સુગરને કેવી રીતે અસર કરે છે?
સોજીનો મુખ્ય ગેરફાયદો એ છે કે તે અન્ય સ્વસ્થ અનાજ કરતાં લોહીમાં બ્લડ સુગર ખૂબ ઝડપથી વધારે છે. આખા અનાજ જેનું ડિ-બ્રેનિંગ કરવામાં આવ્યું નથી તેની તુલનામાં, સોજી લોહીમાં ગ્લુકોઝ ખૂબ ઝડપથી મુક્ત કરે છે. આનું કારણ એ છે કે તે ખૂબ જ પ્રોસેસ્ડ છે અને તેમાં ખૂબ ઓછા ફાઇબર હોય છે.
આખા અનાજને પચવામાં સમય લાગતો હોવાથી, ગ્લુકોઝ ધીમે ધીમે લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. આ લોહીમાં શર્કરાના સ્તરને જાળવવામાં મદદ કરે છે. જોકે સોજી ખૂબ જ ઝડપથી પચી જાય છે, જેના કારણે શરીરમાં સુગરમાં અચાનક વધારો થાય છે.
સોજીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ શું છે?
સોજીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ સામાન્ય રીતે 54 અને 66 ની વચ્ચે હોય છે. જ્યારે આ મધ્યમ લાગે છે, ડૉ. સ્વાતિ આપણને યાદ અપાવે છે કે ફક્ત GI ના આધારે વધુ સોજી ન ખાવી જોઈએ.
સોજી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ મધ્યમ પ્રમાણમાં વધારે છે કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, આપણે જે માત્રામાં ખાઈએ છીએ તે શરીરમાં એકંદર ગ્લુકોઝ પ્રતિભાવ નક્કી કરે છે. એટલે કે, જો GI મધ્યમ હોય, તો પણ સોજી માંથી બનેલી વાનગી ખાવાથી બ્લડ સુગરમાં વધારો થશે.
ડાયાબિટીસના દર્દીઓએ સોજીનું સેવન કેવી રીતે કરવું?
ડૉ. સ્વાતિએ સૂચવ્યું કે “જ્યારે સોજીનું સેવન હાઈ ફાઇબરવાળા શાકભાજી, પ્રોટીનયુક્ત ખોરાક (ઇંડા, કઠોળ) અને હેલ્ધી ફેટ સાથે કરવામાં આવે છે, ત્યારે શરીરમાં ગ્લુકોઝ શોષણનો દર ધીમો પડી જાય છે. આ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરશે.”
એકવાર ડાયાબિટીસ થઈ જાય પછી તે ક્યારેય મટતી નથી, શું તમને પણ આ 5 ગેરમાન્યતાઓ છે?
ડાયાબિટીસના દર્દીઓ માટે સ્માર્ટ ટિપ્સ
બરછટ સોજી પસંદ કરો: બારીક પીસેલા સોજીને બદલે, બરછટ અથવા ઓછી પ્રોસેસ્ડ કરેલ સોજી પસંદ કરો.
વધુ કુક ન કરો : સોજીને ઓવર કુક કરવાથી તેને કણકમાં ફેરવવાથી તેની ગ્લાયકેમિક અસર વધશે. તેથી તેને ફક્ત તૈયાર થાય ત્યાં સુધી જ કુક કરો.
હંમેશા માત્રાનું ધ્યાન રાખો : સોજીની વાનગીઓ ખાતી વખતે ખાતરી કરો કે પ્લેટમાં અડધાથી વધુ શાકભાજી અથવા સલાડ હોય, અને સોજીનું પ્રમાણ ઓછું કરો.
