ક્યારેક લોકો ફરિયાદ કરે છે કે, તેમનું ચલણ ખોટી રીતે જારી કરવામાં આવ્યું છે. તમે પોર્ટલ પર વાંધો નોંધાવી શકો છો, પરંતુ તમારે ચલણ જારી થયાના 45 દિવસની અંદર તમારો કેસ ઓનલાઈન સબમિટ કરવો પડશે. ટ્રાફિક વિભાગ જણાવે છે કે, સમયસર ચલણ ભરવાથી દંડ તો બચે છે જ, પરંતુ માર્ગ સલામતીમાં પણ સુધારો થાય છે. વાહન માલિકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ સમયાંતરે તેમના ઈ-ચલણની સ્થિતિ તપાસે અને જો કોઈ બાકી હોય તો શક્ય તેટલી વહેલી તકે ચૂકવે.

