Jennifer Winget wedding ceremony : અભિનેત્રી જેનિફર વિંગેટે 12 વર્ષ પછી બીજા લગ્ન કર્યા છે. તેણે તેના પતિ વિલિયમ ઇસ્માઇલ સાથે પોતાના લગ્નની શાનદાર તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે. લાંબા સમયથી અભિનેત્રીના લગ્નના સમાચાર સામી આવી રહ્યા હતા. હવે જેનિફર વિંગેટે લગ્નની પુષ્ટિ કરી છે.
જેનિફર વિંગેટે છૂટાછેડાના 12 વર્ષ બાદ બીજા લગ્ન કર્યા
જેનિફર વિંગેટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં જેનિફર અને વિલિયમ લગ્નના ડ્રેસમાં દેખાયા હતા. સૌ પ્રથમ બંનેના હાથનો એક ફોટો હતો જેમાં જેનિફર વિંગેટ પોતાના લગ્નની રિંગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, ત્યારબાદ ચર્ચની તસવીરમાં બંને લગ્ન કરતા જોવા મળ્યા હતા. અભિનેત્રીએ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા. એક તસવીરમાં અભિનેત્રી હાથમાં ફૂલો સાથે વિલિયમના હાથ પકડીને એક સુંદર અંદાજમાં જોવા મળી હતી.
આ તસવીરો સાથેના કેપ્શનમાં જેનિફર વિંગેટે લખ્યું છે કે અને આખરે અમારા સિતારા પણ એક થઈ ગયા છે, મળો મારા પતિ વિલ ને એક ફોટોમાં આ કપલે ક્રિશ્ચિયન રિવાજ મુજબ લગ્ન બાદ લિપ કિસ કરી હતી, જેનો ફોટો પણ ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે. જેનિફર વિંગેટની પોસ્ટ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે, તે કહે છે કે અભિનેત્રીને તેના જીવનમાં ખુશ જોઈને તેના ચાહકો પણ ખૂબ ખુશ છે.
કોણ છે વિલિયમ ઇસ્માઇલ
અભિનેત્રી જેનિફર વિંગેટ અને વિલિયમ ઇસ્માઇલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા, પરંતુ અભિનેત્રીએ ક્યારેય આ અંગે કોઈ માહિતી આપી ન હતી અને હવે સીધા વિલિયમ સાથે લગ્નના ફોટા શેર કર્યા છે.
વિલિયમ ઇસ્માઇલ સિંગાપોર સ્થિત ઉદ્યોગપતિ છે અને એમએચસી ડિજિટલ ગ્રુપમાં બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેડિંગના ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તેણે યુનિવર્સિટી ઓફ યોર્કમાં અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સનો અભ્યાસ કર્યો હતો. યુબીએસ ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2026 : યામી ગૌતમ શ્રેષ્ઠ અભિનેત્રી, કાર્તિક આર્યન અને મમૂટી શ્રેષ્ઠ અભિનેતા, મારણ બેસ્ટ ગુજરાતી ફિલ્મ
જેનિફરે 2012 માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા
જેનિફર વિંગેટે અગાઉ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. ટેલિવિઝન શો દિલ મિલ ગયે પર કામ કરતી વખતે બંનેની મુલાકાત થઈ હતી અને એપ્રિલ 2012માં લગ્ન કર્યા હતા. તેઓ 2014માં અલગ થઈ ગયા હતા. આ પછી કરણે 2016માં અભિનેત્રી બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે જેનિફરે હવે 12 વર્ષ પછી 2026માં બીજા લગ્ન કર્યા છે.
