આમિર ખાનના ત્રીજા લગ્ન પર ભડક્યા નીતેશ રાણે, અભિનેતાને ગણાવ્યો લવ જેહાદનો બ્રાન્ડ એમ્બેસેડર

આમિર ખાનના ત્રીજા લગ્ન પર ભડક્યા નીતેશ રાણે, અભિનેતાને ગણાવ્યો લવ જેહાદનો બ્રાન્ડ એમ્બેસેડર

મનોરંજન ENTERTAINMENT
Spread the love


બોલીવુડ અભિનેતા આમિર ખાને 5 જુલાઈ, 2026 ના રોજ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા. તેમના આ ત્રીજા લગ્ન છે. આમિરે તેમના મુંબઈ નિવાસસ્થાને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા, જેમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ આમિરના ત્રીજા લગ્ન અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેનાથી રાજકીય વિવાદ સર્જાયો હતો.

આમિર ખાન પર નિશાન સાધતા રાણેએ તેમને “લવ જેહાદના બ્રાન્ડ એમ્બેસેડર” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે હિન્દુ સમાજે આવી બાબતો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ત્યારબાદ સોમવારે મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના મંત્રી સંજય શિરસાતે પણ આમિર ખાનના ત્રીજા લગ્ન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

શિરસાતે ટિપ્પણી કરી હતી કે આમિર ખાનને ખરેખર ‘લવ જેહાદ’નો બ્રાન્ડ એમ્બેસેડર ગણી શકાય. તેમણે કહ્યું હતું કે આમિર ખાન એક મોટો ફિલ્મ સ્ટાર હોઈ શકે છે પરંતુ ત્રણ વાર લગ્ન કરવાનો તેમનો નિર્ણય તેમને ખરેખરમાં લોકોના દિલ જીતવાથી રોકે છે.

તેમણે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે દ્વારા આપવામાં આવેલા નિવેદનને સમર્થન આપ્યું હતું, જેમણે દલીલ કરી હતી કે જ્યારે પ્રખ્યાત હસ્તીઓ આવી વ્યક્તિગત પસંદગીઓ કરે છે ત્યારે હિન્દુ સમાજે તેના પરિણામો પર વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચો: ઘરે જ બનાવો હોટેલ જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય, નોંધી લો પરફેક્ટ રેસીપી

રાણેએ પ્રશ્ન કર્યો હતો કે શું આમિર ખાનના તાજેતરના લગ્નને ‘લવ જેહાદ’ના ઉદાહરણ તરીકે જોવું જોઈએ. આના જવાબમાં સંજય શિરસાતે કહ્યું, “નીતેશ રાણે અમુક હદ સુધી સાચા છે. જ્યારે લોકો તમને એક અભિનેતા તરીકે ફોલો કરે છે ત્યારે તેઓ તમને એક મોટા સ્ટાર માને છે. જો તે જ સ્ટાર ફક્ત એક કે બે નહીં પરંતુ ત્રણ લગ્ન કરે છે તો લોકો તેનાથી શું શીખે છે? તે ‘લવ જેહાદ’નો બ્રાન્ડ એમ્બેસેડર હોઈ શકે છે પરંતુ તે સામાન્ય લોકોના હૃદયમાં સ્થાન મેળવી શકતો નથી.”

નોંધનીય છે કે આમિર ખાનની ત્રીજી પત્ની ગૌરી સ્પ્રેટ, વેલનેસ અને બ્યુટી ઉદ્યોગ સાથે સંકળાયેલી એક બિઝનેસ વુમન છે. આમિરના પહેલા લગ્ન 1986 માં રીના દત્તા સાથે થયા હતા. તેના ડિવોર્સ 2002 માં થયા હતા. ત્યારબાદ તેણે 2005 માં ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને આ દંપતી 2021 માં અલગ થઈ ગયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *