જાણવા જેવું: 1950થી લઈ અત્યાર સુધી ભારતના કેટલા રાજ્યોના નામ બદલાયા, કેરળનું હવે કેરલમ થયું

જાણવા જેવું: 1950થી લઈ અત્યાર સુધી ભારતના કેટલા રાજ્યોના નામ બદલાયા, કેરળનું હવે કેરલમ થયું

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

GK : ભારતમાં રાજ્યોના નામ અલગ અલગ કારણોથી બદલાતા રહ્યા છે. વર્ષ 1956ના સ્ટેટ રીઓર્ગનાઈઝેશન એક્ટે તેમાં મોટી ભૂમિકા નિભાવી. આવો જાણીએ અત્યાર સુધી કયા કયા રાજ્યોના નામ બદલાઈ ચુક્યા છે.

News18
News18

GK : ભારતના રાજકીય અને ભૌગોલિક નકશા અને પ્રાંતોના નામ પણ બદલતા રહ્યા છે. ક્યારેય પ્રશાસનિક જરૂરિયાતના કારણે તો ક્યારેય ભાષાકીય ઓળખ, સાંસ્કૃતિક અસ્મિતા અને ઐતિહાસિક સુધારાના આધાર પર આવું થતું રહ્યું છે. સ્વતંત્રતા બાદ આ પ્રક્રિયા ખાસ કરીને 1950ના દાયકાથી શરૂ થઈ, જ્યારે નવું સંવિધાન અને સંઘીય ઢાંચા અનુરુપ રાજ્યોનું પુનર્ગઠન થયું. તાજેતરનો ઘટનાક્રમ કેરળનું નામ બદલી કેરલમ કરવાનો છે. કેન્દ્ર સરકારે કેટલાય વર્ષથી ચાલી આવતી આ માગ પર મહોર લગાવી દીધી છે.

1956નું States Reorganisation Act ભારતીય સંઘીય ઇતિહાસનો મહત્ત્વનો પડાવ સાબિત થયો. ભાષાકીય આધાર પર રાજ્યોનું પુનર્ગઠન થયું અને કેટલાય વિસ્તારોના નામ પણ બદલાયા. મધ્ય ભારત, વિંધ્ય પ્રદેશ, ભોપાલ અને સીપી. બરાર વિસ્તારોને મિલાવીને મધ્ય પ્રદેશ બન્યું. આ સમયમાં આંધ્ર વિસ્તાર અને હૈદરાબાદ રાજ્યને તેલુગૂ ભાષી વિસ્તારોને જોડીને આંધ્ર પ્રદેશ બનાવવામાં આવ્યું. આવો જાણીએ 1950થી લઈને અત્યાર સુધી કયા કયા રાજ્યોના નવા નામ મળ્યા છે.

પંજાબ- ભારત-પાકિસ્તાન વિભાજન બાદ પંજાબનો એક ભાગ પાકિસ્તાનમાં જતો રહ્યો અને પૂર્વી પાકિસ્તાન ભારતના ભાગમાં આવી ગયું. વર્ષ 1950માં તેનું નામ બદલીને પંજાબ કરવામાં આવ્યું.

તમિલનાડૂ અને કર્ણાટક: દક્ષિણ ભારતમાં ઓળખ આધારિત નામ પરિવર્તન વધારે સ્પષ્ટ દેખાય છે. 1969માં મદ્રાસ સ્ટેટનું નામ બદલી તમિલનાડૂ કરવામાં આવ્યું, જેથી રાજ્યને તમિલ સંસ્કૃતિ સાથે જોડી શકાય. 1973માં મૈસૂર સ્ટેટનું નામ કર્ણાટક રાખવામાં આવ્યું. કેમ કે રાજ્યમાં ખાલી મૈસૂર વિસ્તાર જ નહીં પણ સમગ્ર કન્નડ ભાષી વિસ્તાર સામેલ હતો.

અરુણાચલ અને લક્ષદ્વીપ- નામમાં બદલાવ પૂર્વોત્તર ભારતમાં પણ થયો છે. 1972માં NEFA (North-East Frontier Company)નું નામ બદલી અરુણાચલ પ્રદેશ કરવામાં આવ્યું. તો વળી દ્વીપીય વિસ્તાર Laccadive, Minicoy and Amindivi Islandsને 1973માં લક્ષદ્વીપ નામ આપવામાં આવ્યું.

ઉત્તરાખંડ અને ઓડિશા- 2007માં ઉત્તરાંચલનું નામ બદલી ઉત્તરાખંડ કરી દીધું, કેમ કે સ્થાનિક લોકોમાં ઉત્તરાખંડ શબ્દ ઐતિહાસિક સાંસ્કૃતિક રીતે વધારે પ્રચલિત હતો. 2011માં ઉડીસાનું નામ બદલી ઓડિશા કરી દીધું, જેનાથી ઓડિયા ભાષાના ઉચ્ચારણ અનુરુપ સત્તાવાર નામ સ્થાપિત થયું.

પશ્ચિમ બંગાળનું નામ ન બદલાયું, તેને કેસ થોડો અલગ છે. ભારતના વિભાજન પહેલા આખું બંગાળ એક હતું. વિભાજનના સમયે બંગાળનું વિભાજન થયું તો પૂર્વી બંગાળનો ભાગ પાકિસ્તાનના ભાગમાં આવ્યો અને પશ્ચિમ બંગાળનો ભાગ ભારતના ભાગમાં આવ્યો. જો કે 1947થી પહેલા આ બંગાળ નામનો એક જ પ્રાંત હતો. વિભાજન બાદ પશ્ચિમ બંગાળના નામથી ભારતને એક નવું રાજ્ય મળ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *