S. Jaishankar : વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના ઇરાન સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરી છે અને ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ પર ભારતની ગહેરી ચિંતા વ્યક્ત કરી છે. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા અને કાળા સમુદ્ર ક્ષેત્રમાં કોઈપણ સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટમાં નાવિકો અને કોર્મશિયલ જહાજો પર હુમલા કરવામાં ના આવે.
જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પરની એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારત કોઈપણ પક્ષ દ્વારા કોર્મશિયલ જહાજો અને નાવિકો પરના હુમલાની સખત નિંદા કરે છે.
ભારતે હુમલાની નિંદા કરી
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે આજે સાંજે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ દરમિયાન મેં ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ અને હુમલાઓ પર ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં કોર્મશિયલ જહાજો અને ખલાસીઓ પર હુમલો ના થવા જોઈએ. ભારત કોઇપણ પક્ષો દ્વારા કરવામાં આવેલા આવા હુમલાની નિંદા કરે છે.
તેમણે કહ્યું કે મને વર્તમાન પરિસ્થિતિ અને ચાલી રહેલી વાતચીત અંગે ઈરાનના દૃષ્ટિકોણ વિશે માહિતી આપવામાં આવી હતી. ભારતે હંમેશા સંવાદ અને ફૂટનીતિનું સમર્થન કરે છે.
હાલમાં બે ભારતીય ખલાસી ગુમ
આ પહેલા વિદેશ મંત્રાલયે પ્રેસ બ્રીફિંગ દરમિયાન એમવી એજીએન રગનાર જહાજ વિશે માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 25 જુલાઈએ ઓડેસા બંદરથી નીકળતી વખતે જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. જહાજના ક્રૂમાં ચાર ભારતીયો હતા. તેમાંથી બે સલામત છે, બે ગુમ છે. યુક્રેન અને રોમાનિયાની બંને તરફ શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમે પરિણામ સુધી પહોંચવા માટે બંને પક્ષો સાથે સંપર્કમાં છીએ. અમે ગુમ થયેલા બે ભારતીય નાગરિકોના પરિવારો સાથે પણ સંપર્કમાં છીએ અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છીએ.
સ્પેનની સરહદ પર અફરાતફી, મોરોક્કોથી હજારોની સંખ્યામાં પ્રવેશ કરવાના પ્રયત્નમાં 18 ના મોત, સેના બોલાવી
એક દિવસ પહેલા યુક્રેનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી
એક દિવસ પહેલા ગુરુવારે જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે કાળા સમુદ્રમાં વેપારી જહાજો અને ભારતીય ખલાસીઓ પરના હુમલા વિશે ખુલીને વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ બાજુ વેપારી જહાજો અને ભારતીય નાવિકો પર હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. જયશંકરે કહ્યું કે ભારત આવા હુમલાની નિંદા કરે છે.
