જીવનશૈલી | magnificence suggestions | સ્કિન શરીરનું સૌથી મોટું અંગ છે. અન્ય તમામ અવયવોની જેમ, ત્વચાની પણ યોગ્ય સમયે કાળજી અને પોષણની જરૂર હોય છે. મોટાભાગના એક્સપર્ટ નિયમિતપણે ભલામણ કરતા હાઇડ્રેટિંગ ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન જેવા કેટલાક મૂળભૂત સ્કિન કેર રૂટિન સાથે સ્કિનને ચમકતી રાખવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.
તાજેતરમાં આયુર્વેદિક નિષ્ણાત ડૉ. નીતિકા કોહલીએ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર આવી પાંચ ટિપ્સ શેર કરી છે. ડૉ. નીતિકાએ તેમની પોસ્ટમાં લખ્યું કે “તમારા વિશે અન્ય લોકો જે પહેલી બાબતો ધ્યાનમાં લે છે તેમાંની એક તમારી સ્કિન પણ છે જે તમારા એકંદર સ્વાસ્થ્ય વિશે પણ સંકેત આપે છે.”
ડૉ. નીતિકા કહે છે કે “જો સ્કિન પર કોઈ સમસ્યા દેખાય છે, તો તે શરીરની અંદર ઊંડા અસંતુલનનો સંકેત છે,” ડૉ. કોહલીએ સ્પષ્ટતા કરી કે “આયુર્વેદમાં સ્કિનની સમસ્યાઓને દોષોના અસંતુલન તરીકે જોવામાં આવે છે.”
ડૉ. નીતિકાએ ઉમેર્યું કે “માત્ર બહારથી સ્કિનનું ધ્યાન રાખી સારવાર કરવાથી ખીલના મૂળ કારણોને નાબૂદ કરી શકતી નથી, તેથી જ આયુર્વેદિક ટિપ્સમાં ડાયટ અને જીવનશૈલીમાં ફેરફારનો સમાવેશ થાય છે.” ડૉ. કોહલી ક્લીન, હેલ્ધી, ગ્લોઈંગ સ્કિન માટે કેટલાક સૂચનો પણ આપે છે.
ચમકતી ત્વચા માટે આયુર્વેદિક ઉપાયો
દરરોજ કસરત કરો : દરરોજ કસરત માટે ઓછામાં ઓછો થોડો સમય ફાળવવાનું ભૂલશો નહીં અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 વાર કસરત કરો.
યોગ અને ધ્યાન કરો : પ્રાણાયામ અને ધ્યાન માનસિક તણાવને અમુક હદ સુધી ઘટાડી શકે છે.
હાઇડ્રેટેડ રહો :દિવસભર હાઇડ્રેટેડ રહેવા માટે પૂરતું પાણી પીવો. તમારા શરીરનું સાંભળો. જરૂર પડે ત્યારે જ પાણી પીઓ અને વધુ પડતું ન લો.
એક ચમચી દહીંમાં એક ટીપું આ તેલ ઉમેરી વાળમાં લગાવો, વાળ રેશમ જેવા ચમકશે
7થી 8 કલાકની ઊંઘ : ડોકટરે પૂરતી ઊંઘ લેવાના મહત્વ પર ભાર મૂક્યો. તમારે દરરોજ રાત્રે 7-8 કલાક અવિરત ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
પ્રોસેસ્ડ ફૂડ ટાળો : આહારમાંથી જંક ફૂડ અને રિફાઇન્ડ સુગર સહિત તમામ પ્રકારના પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવાની ભલામણ કરવામાં આવે છે. તેના બદલે, સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે તાજા, મોસમી ફળો અને શાકભાજી પસંદ કરો.
