જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. અનંત અંબાણી સાથે આજે તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણી પણ હાજર રહ્યા હતા. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે. દર્શન બાદ માતા અને પત્નીએ અનંત અંબાણી અંગે અનેક વાતો કહી છે.
Source link
