અનંત સાથે નીતા અંબાણી, રાધિકાએ બોલાવ્યો દ્વારકાધીશનો જયઘોષ

અનંત સાથે નીતા અંબાણી, રાધિકાએ બોલાવ્યો દ્વારકાધીશનો જયઘોષ

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણીની સાથે દ્વારકાધીશના દર્શન કર્યા છે. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે. પદયાત્રાના છેલ્લા પડાવમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અનંત અંબાણી સાથે જોડાયા હતા. આ સાથે તેમણે દ્વારકાધીશનો જયઘોષ પણ બોલાવ્યો હતો. ત્યારનું વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતુ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *