પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. મંગળવારે ટીએમસીના વડા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેમની સાથે દગો કરવામાં આવ્યો છે, અને આ કારણોસર તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે નહીં. દરમિયાન બંગાળ ભાજપ પ્રમુખ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો જવાબ આપતા અનુપમ ખેરે ટિપ્પણી કરી, “ભાઈ, મેં તમારૂ શું બગાડ્યું છે?”
તમે કેમ ઇચ્છો છો મારા માથા પર વાળ પાછા ઉગે? — અનુપમ ખેર
હસતા ઇમોજી સાથે અનુપમ ખેરે ‘X’ (પહેલા ટ્વિટર) પર પોસ્ટ કરીને અને લખ્યું, “ઓહ, ભાઈ (સમિક ભટ્ટાચાર્ય) મેં તમારૂં શું બગાડ્યું છે ભાઈ? તમે મારા માથા પર વાળ પાછા ઉગે તેવું કેમ ઇચ્છો છો? વર્તમાન પરિસ્થિતિઓને જોતાં હું એવું સો જન્મો સુધી નહીં ઇચ્છું! જય શ્રી રામ.” અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં સમિક ભટ્ટાચાર્યના નિવેદનની વિડિઓ ક્લિપ પણ શામેલ કરી.
ભાજપ પ્રમુખે શું કહ્યું?
વીડિયોમાં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું: “તૃણમૂલ કોંગ્રેસના કાળના કપાલ પર લખાઈ ગયપં હતું કે તેમનું પતન થશે. તૃણમૂલ કોંગ્રેસનો યુગ સમાપ્ત થઈ ગયો છે. તમે તેને કેવી રીતે ટાળી શકો છો? આકાશ જમીન પર પડી શકે છે, અથવા સમુદ્ર આકાશ સુધી ઉગે છે. અનુપમ ખેરના માથા પર વાળ પણ પાછા ઉગી શકે છે પરંતુ ટીએમસી સત્તામાં પાછી ફરી શકતી નથી. જે ​​થવાનું હતું તે પહેલાથી જ થઈ ચૂક્યું છે. અશક્યને શક્ય બનાવવું આ દુનિયાની શક્તિની બહાર છે.”
अरे भैया जी! मैंने आपका क्या बिगाड़ा है! क्यों आप चाहते हो कि मेरे सिर पर बाल आ जायें! मौजूदा हालात में जन्मों तक नहीं चाहूँगा! जय श्री राम! 🤪🤪🤣🤣🤣😂😂😂😂😂 pic.twitter.com/SoTQEYUGxy
— Anupam Kher (@AnupamPKher) May 5, 2026
ટીએમસી માટે કારમી હાર
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટીએમસી માત્ર 80 બેઠકો મેળવવામાં સફળ રહી. વધુમાં આ ચૂંટણીમાં મમતા બેનર્જી પોતે ભવાનીપુરમાં પોતાની બેઠક ગુમાવી. ભાજપ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, 207 બેઠકો મેળવી છે. દરમિયાન કોંગ્રેસ પાર્ટી ફક્ત બે બેઠકો જીતી શકી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી પણ પોતાનો મતવિસ્તાર જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને સુવેન્દુ અધિકારીના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો.
ચૂંટણી પંચ મુખ્ય ખલનાયક છે – મમતા
આ હાર બાદ મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે તેઓ ચૂંટણી હારી નથી પરંતુ તેમને હારી જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ચૂંટણી પંચ સાથે છેડછાડ કરીને પોતાની જીત મેળવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની લડાઈ ભાજપ સામે નહીં પરંતુ ચૂંટણી પંચ સામે છે. “મેં મારા આખા જીવનમાં ક્યારેય આવી ચૂંટણી જોઈ નથી. મેં 2004 પછી આવા અત્યાચાર જોયા નથી. ચૂંટણી પંચ મુખ્ય ખલનાયક છે.”
કેરીમાંથી બનાવો આ 3 અનોખી અને સ્વાદિષ્ટ વાનગીઓ, આખું કુટુંબ આંગળા ચાટતું રહી જશે
હું રાજીનામું નહીં આપું – મમતા બેનર્જી
મમતાએ વધુમાં ઉમેર્યું કે જો ભાજપે નિષ્પક્ષ ચૂંટણી દ્વારા જીત મેળવી હોત તો તેમને કોઈ ફરિયાદ ન હોત. જોકે ભાજપે આ જીત ચોરી લીધી છે. ત્યારબાદ જ્યારે તેમના રાજીનામા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મારા રાજીનામાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. અમે ચૂંટણી હાર્યા નથી. નૈતિક રીતે, અમે જીતી ગયા છીએ. હું મારું રાજીનામું આપવા માટે લોકભવનમાં જઈશ નહીં. અમારી ભવિષ્યની રણનીતિ પાર્ટીમાં ચર્ચા કરવામાં આવશે. હું હવે ભાજપના અત્યાચારોને સહન કરીશ નહીં હું રસ્તાઓ પર ઉતરીશ.”
