કુંભલગઢ કિલ્લામાં જોવાલાયક સ્થળ
કુંભલગઢ કિલ્લામાં બાદલ મહેલ, કુંભ મહેલ, મહારાણા પ્રતાપનું જન્મસ્થળ કટારગઢ, બનામાતા દેવીનું મંદિર અને આશરે 360 જેટલા નાના મોટા મંદિરો આવે છે. કુંભલગઢ કિલ્લાની સૌથી ટોચ પર બાદલ મહેલ છે. ચોમાસામાં વાદળો મહેલની અંદર સુધી આવી જાય છે, આથી તેનું નામ બાદલ મહેલ રાખવામાં આવ્યું છે. બાદલ મહેલથી અરવલ્લીના પહાડનો 360 ડિગ્રી વ્યૂ જોવા મળે છે.
