Water Consuming Ideas : શું તમે વારંવાર કોઈ કારણ વિના પાચન સમસ્યાઓ, માથાનો દુખાવો અથવા સુસ્તી અનુભવો છો? આનું કારણ તમારી ડાયેટ નહીં પરંતુ પાણી પીવાની ખોટી રીત પણ હોઈ શકે છે. આખો દિવસ કેટલું અને કેવી રીતે પાણી પીવું જોઈએ તે વિશે ઇન્ટરનેટ પર ઘણી ભ્રામક માહિતી છે. શું તમે જાણો છો કે ખોટી રીતે પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય સુધરવાને બદલે બગડી શકે છે? ઘણી વખત લોકો ઉભા થઈને ઝડપી પાણી પીવા, ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીવું અથવા દરરોજ જરુરિયાચ કરતા વધુ પાણી પીવું જેવી ભૂલો કરે છે.
આયુર્વેદ અને આધુનિક તબીબી વિજ્ઞાન બંને માને છે કે પાણી પીવાની એક નિશ્ચિત અને વૈજ્ઞાનિક રીત છે. સાત્વિક મૂવમેન્ટના નિષ્ણાતે કહ્યું કે પાણી આપણા શરીર માટે આવશ્યક તત્વોમાંનું એક છે, પરંતુ તેને પીવાની યોગ્ય રીત શું છે તે વિશે લોકોમાં ઘણી ધારણાઓ છે. કેટલાક લોકો આખો દિવસ 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે, તો કેટલાક કહે છે કે સવારે ખાલી પેટે વધુ પાણી પીવું ફાયદાકારક છે.
આ દરમિયાન સાત્વિક લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલ એક વીડિયોમાં પીવાના પાણી સાથે જોડાયેલી 5 સામાન્ય ભૂલો અને સાચી આદતો વિશે માહિતી આપવામાં આવી છે.
પાણી ધીમે ધીમે અને ઘૂંટડે-ઘૂંટડે પીવો
વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાણીને એક સાથે પીવાને બદલે થોડી નાના-નાના ઘૂંટડા અને કેટલીક સેકન્ડ મોઢામાં રાખીને પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે. આમ કરવાથી પાણી લાળ સાથે ભળી જાય છે અને પાચન પ્રક્રિયામાં મદદ કરી શકે છે.
વધારે ઠંડુ અથવા ખૂબ ગરમ પાણી પીવાનું ટાળો
એક્સપર્ટે વીડિયોમાં જણાવ્યું હતું કે જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો વધુ પડતું ઠંડું અને ખૂબ ગરમ પાણીનું સેવન કરવાનું ટાળો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રુમના તાપમાનનું પાણી શરીર માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. વધુ પડતું ઠંડુ અથવા ખૂબ ગરમ પાણી પીવાથી શરીર તેના તાપમાનને સંતુલિત કરવા માટે વધુ સખત મહેનત કરી શકે છે. ગરમીમાં માટીના ઘડાનું પાણી એક સારો વિકલ્પ હોઈ શકે છે.
ભોજન દરમિયાન વધુ પડતું પાણી ન પીવું
વીડિયોમાં સલાહ આપવામાં આવી છે કે ભોજન પહેલા, ભોજન દરમિયાન અથવા ભોજન પછી વધારે માત્રામાં પાણી પીવાનું ટાળવું જોઈએ. જો તમને જરૂર લાગે છે તો ભોજન દરમિયાન પાણીના એક-બે ઘૂંટડા પીવો. જોકે આ વિષય પર વૈજ્ઞાનિક નિષ્ણાતોના મંતવ્યો અલગ હોઈ શકે છે.
પ્લાસ્ટિકની બોટલને બદલે તેનો ઉપયોગ કરો
પ્લાસ્ટિકની બોટલનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નિષ્ણાતે કહ્યું કે જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાનું ટાળો. પાણી પીવા માટે કાચ, સ્ટીલ અથવા માટીના વાસણોનો ઉપયોગ કરો. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે માઇક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ ઘણા રોગોનું કારણ બને છે.
દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાતો અલગ હોય છે
વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 8 ગ્લાસ અથવા 3 લિટર પાણીનો નિયમ બધા લોકો માટે યોગ્ય ન હોઈ શકે. પાણીની જરૂરિયાત ઉંમર, ઋતુ, શારીરિક પ્રવૃત્તિ અને આહાર પર આધારિત છે. પેશાબનો આછા પીળો અથવા લગભગ સ્પષ્ટ રંગ શરીરમાં પૂરતું પાણી હોવાનો સંકેત માનવામાં આવે છે.
માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા પછી આસપાસના આ ધાર્મિક સ્થળોની પણ કરો મુલાકાત, મન પ્રફુલિત થશે
ફળો અને શાકભાજીમાંથી પણ પાણી મળે છે
નિષ્ણાંતોના મતે શરીરને ફળો અને શાકભાજીમાંથી પણ પાણી મળે છે. તરબૂચ, કાકડી, નારંગી અને અન્ય ફળો અને શાકભાજી પણ શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેથી આહારમાં માત્ર પાણી જ નહીં પરંતુ પાણીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો પણ ફાયદાકારક હોઈ શકે છે.
સ્વસ્થ રહેવા માટે પૂરતી માત્રામાં પાણી પીવું જરૂરી છે. તેની સાથે-સાથે પાણી પીવાની આદતો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. નાના-નાના ઘૂંટડામાં પાણી પીવું, વધુ પડતું ઠંડુ અથવા ગરમ પાણી ટાળવું અને શરીરની જરૂરિયાતો અનુસાર પાણીનું સેવન કરવાથી સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ડિસ્ક્લેમર : આ લેખ ફક્ત સામાન્ય જાગૃતિ અને માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ સ્ત્રોતો અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત સલાહ અને સૂચનો આપવામાં આવ્યા છે. પીવાના પાણીની માત્રા, સમય અને રીત વ્યક્તિની ઉંમર, આરોગ્યની સ્થિતિ, મોસમ અને જીવનશૈલી અનુસાર બદલાઈ શકે છે. કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા, ડિહાઇડ્રેશન અથવા વિશેષ તબીબી સ્થિતિના કિસ્સામાં ડોક્ટર અથવા લાયક આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.
